Latest

Monday, May 20, 2019

કંગના અને રીતિક રોશનના ઝઘડામાં શાહિદ કપૂરને આ રીતે થયો ફાયદો

કંગના અને રીતિકની ટક્કર

કંગના રનોટ અને રીતિક રોશન વચ્ચે ફિલ્મ ‘મેન્ટલ હૈ ક્યા’ અને ‘સુપર 30’ની રીલિઝ ડેટને લઈને ટક્કર થઈ હતી. પણ કહેવાય છે કે, બે બળિયા ઝઘડે એનો ફાયદો ત્રીજો કોઈ ઊઠાવી જાય. આવું જ કંઈક થયું શાહિદ કપૂર સાથે. શાહિદ કપૂરની નવી ફિલ્મ ‘ કબિરસિંહ’ તા. 21 જૂનના રોજ રીલિઝ થઈ રહી છે. આ દિવસે કંગના રનોટ અને રાજકુમાર રાવની નવી ફિલ્મ ‘મેન્ટલ હૈ ક્યા’ રીલિઝ થવાની હતી.

રીલિઝ ડેટ બદલી નાંખી

અચાનક ફિલ્મ નિર્માતા એકતા કપૂરે ‘મેન્ટલ હૈ ક્યા’ની રીલિઝ ડેટ આગળ કરી નાંખી હતી. હવે આ ફિલ્મ તા.26 જૂલાઈના રોજ રીલિઝ થશે. આ જ દિવસે રીતિક રોશનની નવી ફિલ્મ ‘સુપર-30’ થશે. એક જ દિવસે બે સ્ટારની ફિલ્મ રીલિઝ થવા પર સોશિયલ મીડિયા પર રીતિક રોશન અને કંગનો રનોટ ઝઘડી પડ્યા હતા. રીતિકના સમર્થકો કહે છે કે, આવું કંગનાએ જાણી જોઈને કર્યું છે. કંગનાની બહેન રંગોલી ચંદેલે ટ્વિટર પર ખરાબ ભાષાનો ઉપયોગ કર્યો છે. આ પછી વચ્ચે પડીને એકતા કપૂરે સ્પષ્ટતા કરવી પડી હતી. કે રીલિઝ ડેટ બદલાનો નિર્ણય એકતા કપૂરનો હતો.

વ્યક્તિગત હુમલા ન થવા જોઈએ

ફિલ્મનિર્મતા એકતા કપૂરે કર્યું હતું કે, ફિલ્મ નિર્મતાના નિર્ણને કારણે કલાકારો પર કોઈ વ્યક્તિગત હુમલાઓ ન થવા જોઈએ. આ ખટપટનો સીધો ફાયદો શાહિદ કપૂરને થઈ ગયો હતો. કિયારા અડવાણીની નવી ફિલ્મ ‘કબિરસિંહ’ને તેનો ફાયદો થયો હતો. સોલો રીલિઝને લઈને શાહિદ કપૂર એકદમ ખુશ છે. આ દિવસે હેવ માત્ર શાહિદ કપૂરની ફિલ્મ જ રીલિઝ થશે. તેથી શાહિદ આ ફિલ્મને લઈને ખૂબ ખુશ છે.

એક ફિલ્મ રીલિઝ થાય તે સારું

શાહિદ કહે છે કે, એક દિવસે એક ફિલ્મ રીલિઝ થાય એ ખૂબ સારું છે. શાહિદે પોતાની નવી ફિલ્મની રીલિઝડેટ એક વર્ષ પહેલા જાહેર કરી દીધી હતી. ‘મેન્ટલ હૈ ક્યા’ની તારીખ પછી રીલિઝ થઈ હતી. જો દિવસે કંગનાની ફિલ્મ રીલિઝ થાત તો શાહિદ અને કંગનાની ટક્કર થઈ જાત. ફિલ્મ ‘કબિરસિંહ’માં તે દમદાર રોલ પ્લે કરી રહ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર પણ રીલિઝ થઈ ચૂક્યું છે. જેને લોકોએ સારો એવો પ્રતિસાદ આપ્યો છે.

 



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2YDsP8k

No comments:

Post a Comment

Pages