Latest

Monday, May 20, 2019

Exit Polls બાદ વિપક્ષો ટેન્શનમાં: માયા-અખિલેશ વચ્ચે 1 કલાક ચર્ચા ચાલી

નવી દિલ્હી: એક્ઝિટ પોલ્સમાં એનડીએને બમ્પર જીત મળતી દેખાઈ રહી છે ત્યારે વિપક્ષોનું ટેન્શન વધી ગયું છે. તેવામાં 23મીએ જાહેર થનારું પરિણામ એક્ઝિટ પોલથી અલગ હશે તેવી વિપક્ષો આશા રાખીને બેઠા છે. વિપક્ષી નેતાઓની કોશીશ છે કે જો વાસ્તવિક આંકડાં કંઈક અલગ રહે તો યુપીએ સહિત ત્રીજા મોરચાની સંભાવના પર પણ વિચાર કરવામાં આવે.

હવે સીધા Whatsapp પર મેળવો મહત્વના ન્યૂઝ, શરુ કરવા ક્લિક કરો

એક્ઝિટ પોલથી સૌથી વધુ ટેન્શનમાં યુપીમાં મહાગઠબંધન કરનારા અખિલેશ અને માયાવતી છે. આજે સવારે અખિલેશ માયાવતીને મળવા પહોંચ્યા હતા, અને બંને નેતાઓ વચ્ચે 1 કલાક સુધી વાતચીત ચાલી હતી. મહત્વનું છે કે, યુપીમાં મહાગઠબંધન ભાજપને ખાસ નુક્સાન પહોંચાડવાામાં નિષ્ફળ રહ્યું હોવાનું એક્ઝિટ પોલ્સ જણાવી રહ્યા છે.

લોકસભા ચૂંટણીનું છેલ્લા તબક્કાનું વોટિંગ પૂરું થાય તે પહેલા જ વિવિધ પક્ષના નેતાઓ સાથે મુલાકાતોનો દોર શરુ કરી દેનારા ચંદ્રાબાબુ નાયડૂ આજે મમતા બેનર્જીને મળવના છે. શરદ પવાર પણ વિપક્ષી નેતાઓને સાધવા માટે એક્ટિવ થઈ ચૂક્યા છે. જ્યારે કોંગ્રેસ પરિણામ બાદની સ્થિતિ પર મંથન કરવામાં લાગી છે.

પવાર અને નાયડૂનો પ્લાન

સ્થાનિક પક્ષો સાથે સંપર્ક સાધી રહેલા પવાર અને નાયડૂ જો ભાજપને એક્ઝિટ પોલની સરખામણીએ વાસ્તવિક પરિણામમાં થોડું પણ નુક્સાન જાય તો તેને સરકાર બનાવવાથી દૂર રાખવાની રણનીતિ બનાવી રહ્યા છે. ટીએમસીના સૂત્રોનું માનીએ તો નાયડૂ આજે સાંજે સાત વાગ્યે મમતા બેનર્જીને મળશે અને બેઠકમાં પરિણામ બાદની ભાવિ યોજના પર વાતચીત થઈ શકે છે. એનસીપીના વડા શરદ પવાર પણ ઓડિશાના નવીન પટનાયક અને આંધ્રના જગન મોહન રેડ્ડીના સંપર્કમાં છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2WWLTho

No comments:

Post a Comment

Pages