Latest

Thursday, May 16, 2019

GSTની નફાખોરી વિરોધી ઓથોરિટીની મુદત વધવાની શક્યતા



69352348

દીપશિખા સિકરવાર

નવી દિલ્હી:GSTના માળખામાં વધુ ફેરફારની શક્યતાને કારણે ભારતમાં નફાખોરી વિરોધી નિયમોમાં વધુ બે વર્ષ સુધી કોઈ ફેરફાર નહીં થાય. નફાખોરી સામેના માળખાને આગામી સમયમાં ચાલુ રાખવાની જરૂરિયાત પર ચર્ચા શરૂ થઈ છે અને નવી સરકાર સત્તા પર આવ્યા પછી આ બાબતે આખરી નિર્ણય લેવાશે.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, “નેશનલ એન્ટિ-પ્રોફિટિયરિંગ (NAP) ઓથોરિટીની મુદત લંબાવવા વિચારણા ચાલી રહી છે. ઓથોરિટી સામે હજુ ઘણા કેસનો ચુકાદો બાકી છે.”

ઉલ્લેખનીય છે કે, પેટ્રોલિયમ જેવાં મહત્ત્વનાં સેક્ટર્સ GSTની બહાર છે અને આગામી સમયમાં ટેક્સના માળખામાં વધુ ફેરફારની શક્યતા છે. તેને લીધે NAPની ભૂમિકા મહત્ત્વની બને છે. GSTમાં અત્યારે 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાના ચાર સ્લેબ છે. નવી ટેક્સ સિસ્ટમમાં સ્થિરતા પછી 12 અને 18 ટકાના સ્લેબને મર્જ કરવાનો વ્યાપક મત છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઓથોરિટીને એક્સ્ટેન્શન મળી શકે, પણ સરકારની માર્ગરેખા સ્પષ્ટ હોવી જોઈએ.

PwCના નેશનલ લીડર (ઈનડાયરેક્ટ ટેક્સિસ) પ્રતીક જૈને જણાવ્યું હતું કે, “પેન્ડિંગ કેસની નોંધપાત્ર સંખ્યા, GSTના દરમાં સંભવિત ઘટાડો અને એકાદ વર્ષમાં GSTના વ્યાપમાં વૃદ્ધિને કારણે ઓથોરિટીને એક્સ્ટેન્શન લગભગ નક્કી જણાય છે.

જોકે, નફાખોરીનો ગુનો નક્કી કરવા માટે સરકારે સ્પષ્ટ માર્ગરેખા જારી કરવી જરૂરી છે.” ઉલ્લેખનીય છે કે, GSTના અમલ પછી ભાવમાં અચાનક ઉછાળા સામે ગ્રાહકોને રક્ષણ આપવા તેમજ કંપનીઓ ટેક્સમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને આપે છે કે નહીં તે નિશ્ચિત કરવા બે વર્ષ માટે નફાખોરી વિરોધી ઓથોરિટીની રચના કરવામાં આવી હતી.

મોટા ભાગના દેશોમાં GSTના અમલ પછી તરત ફુગાવામાં ઉછાળો આવ્યો હતો. ભારતમાં એવું ન થાય એટલે નફાખોરી વિરોધી ઓથોરિટીની રચના કરવામાં આવી હતી. ભારતે GSTના અમલ પહેલાં મલેશિયા અને ઓસ્ટ્રેલિયાના માળખાનો અભ્યાસ કર્યો હતો.

ભારતે ગ્રાહકોની ફરિયાદને ચકાસવા નફાખોરીની ફરિયાદોને ચકાસવા ત્રણ સ્તરના માળખાને અપનાવ્યું હતું. જેમાં પ્રથમ સ્તર રાજ્ય સ્તરની સ્ક્રીનિંગ કમિટીનું હોય છે. જ્યારે રાષ્ટ્રીય સ્તરે ફરિયાદોની ચકાસણી માટે સ્ટેન્ડિંગ કમિટી હોય છે. ત્યાર પછી કમિટી આ ફરિયાદો ડાયરેક્ટર જનરલ ઓફ સેફગાર્ડ્સને સોંપે છે, જે કંપની પાસેથી જરૂરી વિગતો માંગી સમગ્ર કેસની વ્યાપક તપાસ કરે છે.

ત્રીજું અને આખરી સ્તર નેશનલ એન્ટિ-પ્રોફિટિયરિંગ ઓથોરિટીનું હોય છે. તે તપાસ અહેવાલને ચકાસે છે. આખરી નિર્ણય જાહેર કરતાં પહેલાં તે કંપની અને ફરિયાદીને તેમનો પક્ષ રજૂ કરવાની તક આપે છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2EcBxTd

No comments:

Post a Comment

Pages