Latest

Tuesday, May 14, 2019

IPL 2019 : આ પાંચ વિવાદ લાંબા સમય સુધી રહેશે યાદ

IPLની 12મી સીઝનના સૌથી મોટા વિવાદ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 12મી સીઝન ખતમ થઈ ગઈ છે. આ સીઝનમાં ઘણી એવી ઘટનાઓ બની જેને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. એમ્પાયર્સના નિર્ણયોને લીધે ચર્ચા હોય કે પછી ખેલાડીઓનું વર્તન. જુઓ આ સીઝનની પાંચ વિવાદાસ્પદ ઘટનાઓ…

મેદાન પર આવ્યો મહેન્દ્ર સિંહ ધોની

રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધની મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મેદાન પર આવી એમ્પાયર સાથે જીભાજોડી કરવા લાગ્યો. ક્રિકેટ રસિકોને કેપ્ટન કૂલનો આ અંદાજ પસંદ ન આવ્યો. એમ્પાયર ઉલ્હાસ ગાંધેએ ચેન્નઈની ઈનિંગ્સની છેલ્લી ઓવરમાં બેન સ્ટોક્સના એક બોલને નો-બોલ ગણાવ્યો, બાદમાં સ્ક્વેર લેગ એમ્પાયરે તે નિર્ણયને બદલી નાખ્યો. ધોની આ વાત પર પોતાનું નિયંત્રણ ગુમાવી બેઠો અને ડગ આઉટમાંથી મેદાનમાં જઈ એમ્પાયર સાથે ઉગ્ર ચર્ચામાં ઉતરી ગયો. ધોનીના આ વર્તનની પૂર્વ ક્રિકેટરોએ આલોચના કરી. તેના આ વર્તન માટે તેને50 ટકા દંડ કરાયો.

રસેલે નિર્ણયો સામે ઉઠાવ્યો વાંધો

કોલકાતાની ટીમ પ્લેઑફમાં ન પહોંચી શકી. જોકે, એવા રિપોર્ટ્સ પણ સામે આવ્યા ટીમમાં બધું બરાબર ચાલી રહ્યું નથી. આન્દ્રે રસેલે ટીમના ખરાબ પ્રદર્શન માટે ટીમ દ્વારા કરવામાં આવેલા ખરાબ નિર્ણયોને જવાબદાર ગણાવ્યા હતા. રસેલે સતત છ મેચ હાર્યા બાદ આ વાત કહી હતી. તેણે કહ્યું હતું કે, અમારી પાસે સારી ટીમ છે પણ ખરાબ નિર્ણય લેવાને કારણે જીતી શકતા નથી અને અમે તે જ કર્યું.

નો-બોલ વિવાદ, એમ્પાયરે તોડ્યો ગેટ

RBC અને MI વચ્ચેની એક મેચમાં છેલ્લા બોલને એમ્પાયરે નો-બોલ ન આપ્યો. જ્યારે રિપ્લેમાં સ્પષ્ટ દેખાતું હતું કે, લસિથ મલિંગાનો પગ ક્રિઝની બહાર હતો. ત્યારબાદ પણ ઘણીવાર એમ્પાયરિંગ ચર્ચામાં રહી. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી એક મેચમાં RCBના કેપ્ટન વિરાટ કોહલી અને એમ્પાયર નાઈજલ લૉન્ગ વચ્ચે જીભાજોડી થઈ ગઈ. આનાથી એમ્પાયર લૉન્ગ એટલા નારાજ થઈ ગયા કે, તેમણે હૈદરાબાદની ઈનિંગ્સ પત્યા બાદ એમ્પાયર રુમના દરવાજાના ગુસ્સામાં કિક મારી દીધી. તેમની કિક એટલી જોરદાર હતી કે દરવાજા ડેમેજ થઈ ગયો,

ફરી એકવાર ભટક્યો પોલાર્ડ

ચેન્નઈ સામેની ફાઈનલમાં જ્યારે એમ્પાયરે એક બોલને વાઈડ ન આપ્યો તો પોલાર્ડે ગુસ્સામાં બેટ હવામાં ઉછાળી દીધું. એમ્પાયરના આ નિર્ણયથી પોલાર્ડ એટલો નારાજ થયો કે, તે ટ્રેમલાઈન પાસે જઈ બેટિંગ કરવા લાગ્યો. એમ્પાયરે તેને આવું કરવાથી રોક્યો પણ પોલાર્ડે સીઝનની છેલ્લી મેચમાં એમ્પાયરિંગને ફરી એકવાર ચર્ચામાં લાવી દીધી.

અશ્વિનનો માંકડિંગ વિવાદ

પંજાબની ટીમના કેપ્ટન રવીચન્દ્રન અશ્વિને જોઝ બટલરને જે રીતે રનઆઉટ કર્યો તે લાંબા સમય સુધી યાદ રહેશે. રાજસ્થાન અને પંજાબ વચ્ચે જયપુરમાં રમાયેલી મેચમાં અશ્વિન બોલિંગ કરી રહ્યો હતો અને બટલર નોન-સ્ટ્રાઈકર એન્ડ પર હતા. અશ્વિને બોલ ફેંકતા પહેલા જોયું કે, બટલર ક્રીઝની બહાર છે અને તેને બેલ્સ ઉડાવી દીધી. આના પર ખૂબ વિવાદ થયો. કેટલાક લોકોએ અશ્વિનના આ નિર્ણય સ્પોર્ટ્સમેન સ્પિરિટની વિરુદ્ધની ગણાવી તો કેટલાક તેનો પક્ષ લીધો.



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2VxrGC5

No comments:

Post a Comment

Pages