એલિમિનેર મેચમાં 2 વાર ટૉસ ઉછાળાયો

વિશાખાપટ્ટનમ : દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની વચ્ચે એલિમિનેટર મેચમાં ટૉસનો સિક્કો એક નહીં પણ બે વાર ઉછાળવામાં આવ્યો. બુધવારે વિશાખાપટ્ટનમ ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2019ની એલિમિનેટર મેચમાં જ્યારે બંને ટીમોના કેપ્ટન પહોંચ્યા ત્યારે શ્રેયસ ઐયરે બધી ગોઠવણ થયા પહેલા જ સિક્કો ઉછાળી દીધો. માંજરેકરે તેને કહ્યું કે, પહેલા બધી પ્રક્રિયા તો પૂી થવા દે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ઐયર બન્યો ઉતાવળિયો
Skipper Iyer eager to get things started here in Vizag
pic.twitter.com/2EwJGEuFLh
— IndianPremierLeague (@IPL) May 8, 2019
સિક્કો જમીન પર પડે તે પેહલા જ હોસ્ટ સંજય માંજરેકર અને સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમ્સને તેને હવામાં જ ઝડપી લીધો. માંજરેકરે કહ્યું કે, ‘આટલી જલ્દી નહીં. તું સિક્કો ઉછાળવા માટે ઘણો ઉત્સાહિત લાગી રહ્યો છે. માંજરેકરે કહ્યું કે, આ માન્ય નહીં ગણાય. સિક્કો જ્યારે બીજીવાર ઉછાળવામાં આવ્યો ત્યારે દિલ્હીએ ટૉસ જીત્યો અને પ્રથમ બોલિંગ પસંદ કરી.
ટૉસ જીતી દિલ્હીએ લીધી ફિલ્ડીંગ

દિલ્હીએ લીગ સ્ટેજમાં 14માંથી 9 મેચો જીતી હતી અને તેની પાસે કુલ 18 પૉઈન્ટ હતા. જ્યારે સનરાઈઝર્સ 12 પોઈન્ટ્સ સાથે પ્લેઑફમાં પહોંચી હતી. ટૉસ બાદ ઐયરે કહ્યું હતું કે, ‘એવું લાગી રહ્યું છે કે, બોલ થોડો અટકીને બેટ પર આવશે. કાલે અમે અહીં પ્રેક્ટિસ કરી હતી અને તે સમયે ઘણી ઝાકળ હતી. આ અમારા માટે સારી વાત છે.’ તેણે કહ્યું કે, આ અમારા માટે એક અન્ય મેચ જેવી જ છે પણ પ્લેઑફ હોવાને કારણે ખેલાડીઓ થોડા નર્વસ છે. તે થોડું સારું પણ છે કારણ કે, આવી સ્થિતિમાં તમે સારું પ્રદર્શન કરો છો. તેણે કહ્યું, ‘મને લાગે છે કે, કાલની પ્રેક્ટિસ બાદ આજે બધા રમવા માટે ખૂબ ઉત્સાહિત છે. તમે જોયું કે હું સિક્કો ઉછાળવા માટે કેટલો ઉત્સાહિત હતો.’
જીતનારી ટીમ ચેન્નઈ સાથે ટકરાશે

દિલ્હી અને હૈદરાબાદની આ મેચમાં જે ટીમ જીતશે તે બીજી ક્વૉલિફાયર મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સ સામે ટકરાશે. આ મેચ 10 મેના રોજ વિશાખાપટ્ટનમમાં રમાશે. બીજી બાજુ પ્રથમ ક્વૉલિફાયરમાં ચેન્નઈને હરાવી મુંબઈ ઈન્ડિયન્સ ફાઈનલમાં પહોંચી ચૂકી છે. ફાઈનલ 12 મેના રોજ હૈદરાબાદ ખાતે રમાશે.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2DUxDOw

No comments:
Post a Comment