મુન્તઝીર અબ્બાસ
નવી દિલ્હી: ટેલિકોમ ઉદ્યોગના નિયમનકાર દ્વારા ભારતી એરટેલ પાસેથી પ્લાન સહિતની વિગતો માંગવામાં આવશે. આ વિગતોમાં કંપનીએ જે બેઝ પ્લાન પર સેગમેન્ટે ઓફર કરી હતી અથવા ચોક્કસ ગ્રાહકોને કન્સેશન્સ આપ્યાં હતાં તેનો સમાવેશ થાય છે. નિયમનકાર વોડાફોન આઇડિયા અને રિલાયન્સ જિયો ઇન્ફોકોમનો ડેટા ચકાસતી વખતે તેમના એક્ઝિક્યુટિવ્સને બોલાવશે.
“ભારતી એરટેલ પાસે જે વિગતો માંગવામાં આવી હતી, તે તેણે જમા કરાવી નથી. કંપનીએ જે લિન્ક્ડ પ્લાન્સમાં કન્સેશન્સ આપ્યાં હતાં તેની વિગતો માંગીશું. અમે કંપની પાસે આવી વિગતો માંગીશું, જે તેમની બિલિંગ સિસ્ટમમાં તાત્કાલિક ઉપલબ્ધ હોય છે.” એમ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)ના સિનિયર અધિકારીએ ઇકોનોમિક ટાઇમ્સને જણાવ્યું હતું.
“અમે વિવિધ કંપનીઓની સેગમેન્ટેડ ઓફર્સની વિગતોની ચકાસણી કરતી વખતે જે-તે કંપનીના એક્ઝિક્યુટિવ્સને પણ તેડાવીશું.” એમ અધિકારીએ ઉમેર્યું હતું.
રિલાયન્સ જિયો અને ભારતી એરટેલે ગયા સપ્તાહે સેગમેન્ટેડ ઓફર્સની માહિતી જમા કરાવી હતી જ્યારે વોડાફોન આઇડિયાએ મર્જરનું કારણ આપીને વધુ 15 દિવસ માંગ્યા હતા. સુનિલ મિત્તલની ભારતી એરટેલે માત્ર પ્રાઇઝ પોઇન્ટ્સ અને સેગમેન્ટેડ ઓફર્સ લેનારા ગ્રાહકોની સંખ્યાની વિગતો પૂરી પાડી હતી.
from Page Array – I Am Gujarat http://bit.ly/2XZgyKO
No comments:
Post a Comment