Latest

Tuesday, June 25, 2019

સફેદ કપડા અને હાથમાં કડું જોઈ પોલીસે મૃતદેહને ભરવાડ સમજી અગ્નિદાહ આપ્યા પછી ખબર પડી કે…

આશિષ ચૌહાણ, અમદાવાદઃ ગવર્મેન્ટ રેલવે પોલીસના જવાનો દ્વારા એક અજાણ્યા વ્યક્તિને ભરવાડ સમજીને તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. જોકે પાછળથી ખૂલ્યું કે તે વ્યક્તિ ક્રિશ્ચન ગાર્ડ હતો. જે બાદ તેના પરિવારે હોબાળો મચાવતા આ કેસની તપાસ કરનાર અધિકારીઓ વિરુદ્ધ વિભાગીય ઇન્ક્વાયરી બેસાડવામાં આવી હતી.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

જેમાં સામે આવ્યું છે કે મૃતકે સફેદ કપડા અને હાથમાં કડું પહેર્યું હતું જે સામાન્ય રીતે ગુજરાતમાં ભરવાડ જાતિના લોકોનો પહેરવેશ છે. તેના કારણે તપાસકર્તા અધિકારીઓએ આ અજાણ્યા વ્યક્તિના મૃતદેહ કોઈ ભરવાડ હોવાના પ્રાથમિક અનુમાન સાથે જ તપાસ કરી અને પછી તેને અગ્નિદાહ આપી દીધો હતો. મહત્વનું છે કે ગુજરાતમાં ભરવાડ જાતિના વૃદ્ધો સફેદ ધોતિયું અને સફેદ કેડિયું પહેરે છે તેમજ યુવાનો સફેદ પેન્ટ-શર્ટ પરંતુ સફેદ કલરના કપડા પ્રત્યે તેમનું ગજબનું ખેચાણ હોય છે. આ સાથે હાથમાં કડું પણ તેમના પહેરવેશનો એક ભાગ છે. જે પરંપરાગત પેઢી દર પેઢીથી ચાલ્યો આવે છે.

આ કેસ પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના મુખ્ય ગાર્ડ લેસ્લી મેકવાન (53)નો છે. કેસની વિગત મુજબ આણંદ નજીક ગવર્મેન્ટ રેલવે પોલીસ(GRP)ને તેમનો મૃતદેહ વ્હાઈટ યુનિફોર્મમાં મળ્યો હતો. 27મેના દિવસે અજાણી વ્યક્તિ તરીકે તેમના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના મિત્રો અને પરિવાર દ્વારા મિસિંગ ગાર્ડ બાબતે હોબાળો થતા પોલીસે સ્વિકાર્યું કે તેમણે ભૂલથી અજાણ્યા વ્યક્તિ તરીકે તેમના મૃતદેહને અગ્નિદાહ આપ્યો હતો જ્યારે તે ક્રિશ્ચન હોવાથી તેમના મૃતદેહને દફનાવવામાં આવે છે.

વિભાગીય તપાસમાં GRPના ડિવાયએસપી મુકેશ ચૌધરીએ રેલ્વે પોલીસ IGને સોંપેલા પોતાન રિપોર્ટમાં કહ્યું કે, પોલીસને મૃતદેહ પરના કપડાથી લઈને હાથના કડાને જોઈને વ્યક્તિ ભરવાડ હોવાનું લાગતા તેમજ આણંદની આસપાસના ગામમાં પણ ભરવાડની સંખ્યા વધુ હોવાથી તપાસકર્તા અધિકારીઓએ પોતાની તપાસનું કેન્દ્ર આ ગામડાઓ પૂરતું જ સિમિત રાખ્યું હતું. જ્યાં તેમને અજાણ્યા વ્યક્તિના મૃતદેહ બાબતે કોઈ સગડ ન મળતા વ્યક્તિને ભરવાડ ગણીને હિંદુ વિધિ મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

અજાણી વ્યક્તિના અંતિમ સંસ્કાર મામલે પોલીસ દ્વારા ઉતાવળમાં કરવામાં આવ્યા હોવાના આરોપ અંગે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નડિયાદ સિવિલ હોસ્પિટલના મૃતદેહ રુમમાં એર કંડિશન યોગ્ય ચાલતું નહોતું તેના કારણે મૃતદેહને સાચવવા માટે બરફની પાટનો ઉપયોગ કરવો પડતો હતો. જેથી પણ તમણે કેસની પ્રાથમિક તપાસથી જ સંતોષ માની લીધો હોતો અને અંતિમ સંસ્કારનિ વિધિ કરી નાખી હતી.



from Page Array – I Am Gujarat http://bit.ly/31U8cqz

No comments:

Post a Comment

Pages