અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે અંતે વસ્ત્રાપુર લેક નજીક રહેતા રહીશોની અરજીને ફગાવી દીધી હતી જેમાં તેમણે અહીં આવેલ મલ્ટિપ્લેક્સ અને મોલ તેમજ કોમર્શિયલ બાંધકામનો વિરોધ દર્શાવ્યો હતો. અહીંના રહીશો મોલ જ્યારથી બન્યો ત્યારથી જ તેનો વિરોધ કરતા આવ્યા છે. તેમાં પણ ખાસ કરીને મોલમાં ચાલી રહેલા સિનેપોલીસ ઇન્ડિયા પ્રા.લિ. મલ્ટિપ્લેક્સ બાબતે 2011થી જ તંત્રમાં દરેક સ્તર અને કોર્ટમાં વિરોધ નોધાવવામાં આવ્યો છે. આ રહીશો મોલ બાબતે સુપ્રીમ કોર્ટમાં પણ જઈ આવ્યા છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
આ કેસમાં જસ્ટિસ એ.વાય. કોગજેએ 2016માં દાખલ કરવામાં આવેલ બે અલગ અલગ અરજીઓ પણ સુનાવણી કરી હતી. જેમાં શહેરના કલેક્ટર દ્વારા મલ્ટિપ્લેક્સને આપવામાં આવેલ લાઈસન્સ અંગે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને રિવ્યુ કરવા માટે માગણી કરવામાં આવી હતી. રહીશો દ્વારા કલેક્ટર પાસે પણ તેમના દ્વારા કરવામાં આવેલ પ્રથમ આદેશને રિવ્યુ કરવા માટે અરજી કરાઈ હતી જે અંતર્ગત શહેર કલેક્ટર દ્વારા બેવાર મલ્ટિપ્લેક્સ અને તેની ટિકિટ બારીથી 200 મીટરના રેડિયસમાં રહેલા એક ધાર્મિક સંસ્થાન કલ્યાણ પુષ્ટી હવેલ અને એક પ્લેગ્રુપ વચ્ચેના અંતરની માપણી કરવામાં આવી હતી.
જે દરમીયાન ધાર્મિક સંસ્થાને પોતાને આ વિસ્તારમાં કોઈ કોમર્શિયલ પ્લેસ બાબતે વિરોધ ન હોવાનું જણાવી દેતા ઓથોરિટીએ જણાવ્યું હતું કે પ્લેગ્રુપ કોઈ એજ્યુકેશન સંસ્થા નથી જેથી તેને ડિસ્ટર્બ થવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી તેવામાં આ લાઈસન્સ રદ કરવાની જરુર નથી. તો જે સ્કૂલ અંગે જણાવાયું છે તે નિહારિકા સ્કૂલ મલ્ટિપ્લેક્સનાથી 200 મીટરના રેડિયસની બહાર આવેલ છે. જેના કારણે થિયેટર અને મોલ અંગે કોઈ વિરોધ ન હોવો જોઈએ.
જ્યારે આ કેસના ચુકાદામાં હાઈકોર્ટે જણાવ્યું કે ‘ગુજરાત સીનેમે રેગ્યુલેશન અને બોમ્બે રીનેમા રુલ્સ બંને કાયદા મુજબ લાઈસન્સ આપવાની પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ આ કોર્ટને દેખાઈ નથી. તેમજ લાઈસન્સ ઈશ્યુ કરવા અંગે કરવામાં આવેલ રિવિઝન અરજીની પ્રોસિજરમાં પણ કોઈ ભૂલ નથી કરવામાં આવેલ અને આ કોર્ટમાં પણ બંને પક્ષોને પોતપોતાનો પક્ષ રાખવા માટે પૂરતો સમય આપી સાંભળવામાં આવ્યા છે. કોર્ટેને લાગી રહ્યું છે કે અરજીકર્તા દ્વારા આપવામાં આવેલ કારણો પૂરતા નથી જેના આધારે કોર્ટ આ પ્રક્રિયામાં કોઈ દખલ આપે.’
from Page Array – I Am Gujarat https://ift.tt/2No3cHH
No comments:
Post a Comment