Latest

Saturday, October 26, 2019

અ’વાદઃ દિવાળીની રજાઓમાં પણ મળી રહેશે ડોક્ટરોની ઓન કોલ સેવા, AMAની પહેલ

અમદાવાદઃ દિવાળીએ દરેક વ્યવસાયિકો માટે વેકેશનનો સમય છે જેમાંથી મેડિકલ વિભાગ પણ અપવાદ નથી જ્યાં ડોક્ટરો પણ વ્યસ્ત દિવસોમાંથી ખૂબ જ જરૂરી એવો બ્રેક લેતા હોય છે. આ દિવસો જ એવા હોય છે જ્યાં ફટાકડાંના કારણે ઈમરજન્સીના કેસો તેમજ વાહનોના અકસ્માત વધારે જોવા મળે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

જેના કારણે હવે અમદાવાદ મેડિકલ અસોસિએશને (AMA)ફેમિલી ડોક્ટરો અને સ્પેશિયાલિસ્ટ સાથે ટાઈ અપ કર્યું છે જેથી તેઓ તહેવાર દરમિયાન ઉપલબ્ધ રહે.

AMAના પ્રેસિડેન્ટ ડો. મોના દેસાઈએ કહ્યું કે, ડોક્ટરની ઓન કોલ રહેવાની આ પહેલ છેલ્લા આઠ વર્ષથી ચાલી રહી છે જેને શહેરીજનો દ્વારા પણ સારો સપોર્ટ મળી રહ્યો છે. ‘આ દિવાળીમાં તો ડેન્ગ્યુ સહિતની બીમારીએ લોકોને ભરડામાં લીધા છે. ગયા વર્ષની સરખામણીમાં સંખ્યા ઓછી હોવા છતાં ઘણાં દર્દીઓ ડોક્ટર પાસે ફોલો અપ માટે આવશે’ તેમ તેમણે જણાવ્યું.

AMAના અધિકારીઓએ કહ્યું કે, નાગરિકો માટે ડોક્ટરોની માહિતી તેમની ઓફિશ્યલ વેબસાઈટ અને ફેસબુક પેજ પર મળી રહેશે. આ પહેલા 27 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી યથાવત્ રહેશે.

આ પહેલના કો-ઓર્ડિનેટર ડો. પ્રજ્ઞેશ વાછરાજાનીએ કહ્યું કે, ડોક્ટર્સ ઓન કોલ પહેલને દર વર્ષે 500 જેટલા કોલ મળે છે. ‘મોટાભાગના કેસો દાજી જવાને લગતા, શ્વાસસંબંધિત તકલીફ તેમજ અકસ્માતોના કેસો હોય છે. આ વર્ષે, અમે મચ્છરજન્ય રોગો પર પણ ધ્યાન રાખી રહ્યા છે’ તેમ તેમણે કહ્યું.

AMAના અધિકારીઓએ કહ્યું કે આંબાવાડી, નારાણપુરા, નવરંગપુરા, ચાંદખેડા, પાલડી, સેટેલાઈટ-શ્યામલ, સરખેજ, શ્રેયસ ચાર રસ્તા, બાપુનગર, ચાંદલોડિયા, ઘોડાસર, ખોખરા, મણિનગર અને વટવા જેવા વિસ્તારોમાં જ ડોક્ટરો ઉપલબ્ધ રહેશે.

ફટાકડા ફોડતી વખતે શું ધ્યાન રાખવું? આવો છે ડોક્ટરનો અભિપ્રાય



from Page Array – I Am Gujarat https://ift.tt/2WjgdTU

No comments:

Post a Comment

Pages