Latest

Saturday, October 26, 2019

નવરાત્રી તો બગાડી, હવે વરસાદ દિવાળી પણ ખરાબ કરશે! ખેડૂતો ચિંતામાં

અમદાવાદઃ વર્ષો બાદ આ વખતે નવરાત્રીમાં વરસાદ પડવાના કારણે પહેલા ત્રણ નોરતા ધોવાઈ ગયા હતા. નવરાત્રીનો તહેવાર ખરાબ કર્યા બાદ હવે લાગી રહ્યું છે કે વરસાદ હવે દિવાળી પણ બગાડશે. ભારતના હવામાન વિભાગની આગાહી મુજબ અરબ સાગરના પૂર્વ અને મધ્યભાગમાં સર્જાઈ રહેલું ‘ક્યાર’ વાવાઝોડું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ લાવી શકે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

હવામાન વિભાગના પ્રાદેશિક ડિરેક્ટર જયંતા સરકારે જણાવ્યું કે, વાવાઝોડું ઓમાનના દરિયાકાંઠા તરફ ફંટાઈ રહ્યું છું. IMDની વેબસાઈટ મુજબ ‘ક્યાર’ વાવાઝોડું આગામી 6થી 12 કલાકના સમયગાળામાં તીવ્રથી વધુ તીવ્ર બની શકે છે.

જયંતા સરકારે જણાવ્યું કે, અમે પહેલાથી બંદરો પર લેવલ-2ની વોર્નિંગ જાહેર કરી છે અને માછીમારોને આગામી 2 દિવસ દરિયો ન ખેડવાની સલાહ આપી છે. વાવાઝોડાની દિશાના કારણે તે ગુજરાતને વધારે અસર નહીં કરે. પરંતુ તેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને સાઉથ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડશે.

હવામાન વિભાગની વેબસાઈટ મુજબ તાપી, સુરત, વલસાડ, નવસારી, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરની સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ દિવ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં શનિવારે વાવાઝોડા સાથે હળવો વરસાદ પડી શકે છે. અમદાવાદમાં હવામાન વાદળ છાયું રહેશે. એક્સપર્ટ્સ મુજબ કમોસમી વરસાદથી ગુજરાતમાં તહેવાર બગડવા સાથે ઊભા પાકને પણ નુકસાન થશે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2Jo3JFk

No comments:

Post a Comment

Pages