અટલાદરામાં મહા અન્નકૂટ મહોત્સવ
વડોદરાઃ નૂતન વર્ષના શરૂઆતમાં ભગવાનને અવનવી વાનગીઓ ધરાવવાના ઉત્સવની પરંપરા મુજબ વડોદરાના અટલાદરા ખાતે BAPS સ્વામિનારાયણ મંદીરમાં અન્નકૂટનું મહોત્સવનું આયોજન કરાયું હતું. અક્ષર નિવાસી પ્રમુખ સ્વામી મહારાજની 99મી જન્મજયંતિ નિમિત્તે આ મહોત્સવ મહાપ્રસાદ ધરાવવાનો વિશ્વ વિક્રમ રચાયો હતો. આ મહા અન્નકૂટમાં 3500 વાનગીઓ ધરાવવામાં આવી હતી. આ મહા અન્નકૂટના દર્શન કરવા બેસતા વર્ષના દિવસે મોટી સંખ્યામાં હરિભક્તો મંદિરમાં ઉમટ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ મહા અન્નકૂટ માટે લગભગ પચ્ચીસ દિવસથી પાંચ હજાર સ્વયં સેવકોની મદદ દ્વારા અવનવી શાકાહારી વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
3500 વાનગીઓનો ધરાયો રસથાળ

25 દિવસ સુધી હજારો સ્વયંસેવકોએ આપી સેવા

હજારો ભક્તોએ કર્યા અન્નકૂટના દર્શન

પ્રમુખસ્વામીની 99મી જન્મજયંતિ નીમિત્તે ખાસ આયોજન

from Page Array – I Am Gujarat https://ift.tt/2JrCsSg
No comments:
Post a Comment