Latest

Saturday, October 26, 2019

સોના-ચાંદીમાં માટે ફિકી રહી ધનતેરસ પણ ઓટો સેક્ટરને થઈ ગઈ ચાંદી ચાંદી

પંકજ ડોવલ, નવી દિલ્હીઃ ધનતેરસનો દિવસ અને સોના અને ચાંદીના ચળકાટનો દિવસ. પરંતુ આ વખતે અપેક્ષ મુજબ જ સોના-ચાંદીના માર્કેટમાં ધનતેરસનો દિવસ સાવ ફિક્કો રહ્યો છે. જ્યારે ઓટો સેક્ટરને આ દિવસે ચાંદી જ ચાંદી થઈ ગઈ છે. આ વાતનો અંદાજ મર્સિડિઝ બેન્ઝ જેવી પ્રીમિયર કારના વેચાણને જોઈને જ લગાવી શકાય છે. એકલા દિલ્હીમાં ધનતેરસના દિવસે 250 જેટલી મર્સિડિઝ બેન્ઝ વેચાઈ છે. આ વખતે ધનતેરસના દિવસે લોકોએ સોનું ચાંદી નહીં પણ કાર જેવી અન્ય લખ્ઝુરિયસ વસ્તુઓ પાછળ વધુ ખર્ચ કર્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

મર્સિડિઝ ઉપરાંત હ્યુંડાઈ, કિયા મોટર્સ, MG મોટર્સ માટે પણ આ દિવસ શુભ રહ્યો છે. આ કંપનીઓ દેશભરમાં ધનતેરસના દિવસે 15000 કરતા વધુ કારની ડિલિવરી કરી છે. દેશી બીજી સૌથી મોટી કાર કંપની હ્યુંડાઈ મોટર ઈન્ડિયાએ કહ્યું કે તેમણે શુક્રવારે 12,500 જેટલી કારની ડિલિવરી કરી છે. જ્યારે તેની જ ગ્રુપ ઓફ કંપની કિયા મોટર્સે પોતાની નવી SUV સેલ્ટોસના 2,184 યુનિટ્સ ડિલિવર કર્યા છે. તો MG મોટર ઇન્ડિયાએ પોતાની SUV હેક્ટરના 700 મોડેલ વેચ્યા છે. જે પૈકી 200 કારની ડિલિવરી દિલ્હી અને NCRમાં થઈ છે.

દેશની પ્રમુખ કાર કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ કહ્યું કે ધનતેરસના દિવસે અમારું પણ સારું વેચાણ થયું છે. જાણકારી મુજબ આ ધનતેરસના દિવસે સોનું-ચાંદી ખરીદવામાં લોકોએ એટલી ઉત્સુક્તા દર્શાવી નથી. સોના-ચાંદીના વેપારીઓ મુજબ આ વર્ષે તેમનું વેચાણ 20-50 ટકા સુધી ઘટી ગયું છે. આ અંગે પીસી જ્વેલર્સના ડિરેક્ટર રાહુલ ગુપ્તાએ કહ્યું કે, ‘એવું લાગી રહ્યું છે કે લોકો પૈસા ખર્ચવામાં ડરી રહ્યા છે. લોકો રુપિયાને સંભાળીને રાખવા માગે છે.’આવી જ વાત ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલે કહી છે. તેમનો દાવો છે કે દેશભરમાં 30000 જેટલા રીટેલર્સ તેમની સાથે જોડાયેલા છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/32OVNEG

No comments:

Post a Comment

Pages