Latest

Monday, November 18, 2019

આજથી સંસસનું શિયાળુ સત્ર, આર્થિક સુસ્તી અને નાગરિકતા બિલ પર હોબાળાની સંભાવના

નવી દિલ્હીઃ આજથી સંસદનું શિયાળું સત્ર શરુ થવાનું છે. આ સત્રમાં પણ ભાજપ પાછલા સત્રની જેમ પોતાનું વર્ચસ્વ બનાવી રાખવાની કોશિશો કરશે, જ્યારે વિરોધી પક્ષો પ્રજાના વિવિધ મુદ્દાઓ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. પાછલા સત્રમાં રાજ્યસભામાં પોતાની બહુમતી ના હોવા છતાં ત્રણ તલાક, એનઆઈએની તાકાત વધારનારું બિલ પાસ કરાવ્યું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

આ દરમિયાન વિરોધ પક્ષો ઘણાં મુદ્દા ઉઠાવી શકે છે, જેના કારણે શિયાળુ સત્ર શરુઆતથી જ ‘ગરમ’ રહી શકે છે. સૌથી મોટા વિપક્ષ કોંગ્રેસ દ્વારા રાજ્યસભામાં વિપક્ષની એકતા બનાવી રાખવાની કોશિશ કરાશે.

જોકે, પાછલા બજેટ સત્ર અને શિયાળું સત્ર વચ્ચે ઘણી રાજકીય ઉથલ પાથલ સર્જાઈ છે, જેના કારણે ગૃહનો માહોલ ગરમાઈ શકે છે. દબાવમાં રહેલા વિપક્ષની તાકાત પાછલા કેટલાક ચૂંટણી પરિણામોના કારણે વધી શકે છે.

હાલમાં જ્યાં કોંગ્રેસે હરિયાણામાં ભાજપને સખત ટક્કર આપી, ત્યારે મહારાષ્ટ્રમાં પણ ભાજપ સૌથી મોટી પાર્ટી હોવા છતાં સરકાર બનાવવાની સ્થિતિમાં નથી દેખાઈ રહી.

મંદી અને કલમ 370 પર ચર્ચા

આ સત્રમાં વિરોધી પક્ષો આર્થિક રીતે છવાયેલી સુસ્તીના મુદ્દે સરકારને ઘેરી શકે છે. સાથે જ કલમ 370 પર પણ વિરોધી પક્ષો સરકારને ઘેરવાની કોશિશ કરી શકે છે. સત્ર પહેલા સર્વદળીય બેઠકમાં પીએમ મોદીએ દરેક મુદ્દા પર ચર્ચા કરી. આ દરમિયાન કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કાશ્મીરમાં ફારુક અબ્દુલ્લા જેવા નેતાઓની ધરપકડનો પણ મુદ્દો ઉઠાવ્યો. વિરોધી દળોનું કહેવું છે કે તેઓ આર્થિક સુસ્તી અને બેરોજગારીના મુદ્દાને પણ ગૃહમાં ઉઠાવશે.



from Page Array – I Am Gujarat https://ift.tt/32XV1US

No comments:

Post a Comment

Pages