અમદાવાદઃ ગુરુવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેડ ઓફિસ બહાર ત્રણ વ્યક્તિઓ દ્વારા લોકોને પેંડા વેચીને વિરોધ કરતા જોઈને સૌ કોઈ અચરજ પામી ગયા હતા. તેમના આ વિરોધનું કારણ હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીના રબારી કોલોની વિસ્તારમાં આવેલા ગેરકાયદે બાંધકામ. જેને AMCના ધ્યાને આવ્યું હોવા છતાં 1 વર્ષથી વધુ સમય થવા છતાં જેમનું તેમ જ ઊભું છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રહલાદ મોદીને પાછલા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં નોટિસો પાઠવી હતી. જોકે નોટિસનો કોઈ જવાબ ન મળતા ઓગસ્ટમાં AMCએ ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કામગીરી શરૂ કરી હતી. પરંતુ તરત જ મોદીએ ગેરકાયદે બાંધકામ જાતે તોડી પાડવાની ખાતરી આપી હતી.
આ વિશે વિરોધ કરી રહેલા સામાજિક કાર્યકર્તા અતુલ દવેએ પૂછ્યું હતું, ટેરેસને તોડી પાડવાનું કામ શરૂ કરાયું હતું પરંતુ એક વર્ષ થવા છતા બિલ્ડીંગ હજુ જેમની તેમ છે. જો કોઈ કેસ ચાલી રહ્યો હતો તો AMCએ પાછલા વર્ષે બાંધકામ તોડી પાડવાનું કામ શા માટે શરૂ કર્યું? આ સાથે અતુલ દવેએ AMC પર ગેરકાયદે બાંધકામને છાવરવાનો આરોપ લગાવતા ઓફિસ બહાર લોકોને મિઠાઈ વહેંચીને તેનો વિરોધ કર્યો હતો.
આ બાબતે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને પ્રહલાદ મોદીને જણાવ્યું, કેસ હાલમાં સેશન કોર્ટમાં ચાલી રહ્યો છે. કેસ હાલમાં કોર્ટમાં હોવાથી AMC તરફથી આગળ કોઈ માહિતી આપવામાં આવી નથી.
પાછલા વર્ષે જ્યારે પ્રહલાદ મોદી સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, 2015માં તેમને જાણ થઈ હતી કે નેશનલ હાઈવે પર આવેલું મંગલદીપ કોમ્પલેક્ષ જર્જરીત હોવાથી ધરાશાયી થઈ શકે છે. મોદીએ દાવો કર્યો હતો કે આ મામલે તેમણે AMCના એસ્ટેટ વિભાગને કેટલાક પત્રો લખ્યા હતા. પરંતુ સાઈટનું ઈન્સ્પેક્શન કરવા માટે કોઈપણ આવ્યું નહોતું. બીજી તરફ આ સમગ્ર મામલે AMC સાઉથ ઝોનના અધિકારીઓએ નિવેદન આપવાનું ટાળ્યું હતું.
from Page Array – I Am Gujarat https://ift.tt/2ZhHDLr
No comments:
Post a Comment