Latest

Friday, December 20, 2019

ટાટા સન્સના પબ્લિક કંપનીમાં રૂપાંતરની શક્યતા



72895744

કલા વિજયરાઘવન/રશ્મિ રાજપુત

મુંબઈ:રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (RoC) ટાટા-મિસ્ત્રી વિવાદ અંગે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)ના બુધવારના ચુકાદાનો અભ્યાસ કરી રહી છે. તે ટૂંક સમયમાં ટાટા સન્સનું સ્ટેટસ ખાનગી કંપનીમાંથી પબ્લિક કંપની કરે તેવી શક્યતા છે.

NCLATના 172 પાનાંના ચુકાદામાં સાઇરસ મિસ્ત્રીને ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે તાત્કાલક નીમવાનો આદેશ અપાયો હતો. ઉપરાંત, ટ્રિબ્યુનલે ટાટા સન્સને જાહેર કંપનીમાંથી ખાનગી કંપની બનાવવાના પગલાને ગેરકાયદેસર ગણાવ્યો હતો.

કોર્ટના જણાવ્યા અનુસાર પ્રક્રિયામાં કંપનીઝ એક્ટ 2013ની કલમ 14 પ્રમાણે પ્રક્રિયાનું પાલન થયું ન હતું અને NCLTની પરવાનગી પણ લેવામાં આવી ન હતી. કંપની મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર તેના રેકોર્ડમાં શક્ય એટલો ઝડપથી ફેરફાર કરવા જરૂરી દસ્તાવેજની માંગણી કરવામાં આવી છે. સાઇરસ મિસ્ત્રીની કાનૂની ટીમ પણ ફેરફારને ઝડપથી અમલી બનાવવા RoC અધિકારીઓના સંપર્કમાં છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, “RoCએ ટાટા સન્સ માટે જેટલો ઝડપથી ફેરફાર કર્યો એટલી જ ઝડપે ફેરફાર ન કરી શકે એવું કોઈ કારણ જણાતું નથી.”

એક અધિકારીએ જણાવ્યું હતું કે, “RoC માટે સૌથી પહેલું પગલું રૂપાંતરની પ્રક્રિયાને પૂરી કરી ટાટા સન્સની પબ્લિક કંપની તરીકે નોંધણી કરવાનું છે. NCLATના આદેશનું પાલન ન થાય તો એ બદનક્ષી ગણાશે અને એટલે RoC શક્ય એટલી ઝડપથી ચુકાદાનો અમલ કરશે.” અધિકારીએ જણાવ્યું હતું કે, “NCLATએ સાઇરસ મિસ્ત્રીની ચેરમેન તરીકે નિમણૂક માટે ચાર સપ્તાહનો સ્ટે આપ્યો છે, પણ RoC અંગેના ચુકાદામાં કોઈ સ્ટે આપવામાં આવ્યો નથી. એટલે ટાટા સન્સ RoCને પબ્લિક કંપનીમાં રૂપાંતર માટે અપાયેલા આદેશને ગેરકાયદેસર ગણાવવા સુપ્રીમ કોર્ટમાં જાય એવું બની શકે.”

સપ્ટેમ્બર 2017માં ટાટા સન્સને ખાનગી કંપનીમાં રૂપાંતર કરવા શેરધારકોની મંજૂરી મળી હતી. ટાટા સન્સમાં 18.4 ટકા ફેમિલી હોલ્ડિંગ ધરાવતા સાઇરસ મિસ્ત્રીએ તેનો વિરોધ કર્યો હતો. કારણ કે આવું કરવાથી હોલ્ડિંગ કંપનીની ભંડોળ એકત્ર કરવાની ક્ષમતાને અસર થવાની તેમજ બહારના લોકોને હિસ્સાના વેચાણ પર નિયંત્રણની શક્યતા હતી.સાઇરસ મિસ્ત્રીની નજીકના ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેઓ ટાટા સન્સના ખાનગી કંપનીમાં રૂપાંતરના પગલાને બહુ ગંભીરતાથી લઈ રહ્યા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, “કોર્પોરેટ ગવર્નન્સના કારણોને લીધે કંપનીનું જૂનું સ્ટેટસ પુન: સ્થાપિત કરવું સૌથી મહત્ત્વનું છે.”



from Page Array – I Am Gujarat https://ift.tt/34Flpnx

No comments:

Post a Comment

Pages