Latest

Friday, December 20, 2019

મિસ્ત્રીની બોર્ડમાં એન્ટ્રીના આદેશનો અમલ મુશ્કેલ

72895812

મુંબઈ:સાઇરસ મિસ્ત્રીને ટાટા સન્સ અને અન્ય ગ્રૂપ કંપનીઓના બોર્ડમાં તાત્કાલિક સામેલ કરવાનો નેશનલ કંપની લો એપેલટ ટ્રિબ્યુનલ (NCLAT)ના આદેશનો અમલ મુશ્કેલ છે અને કાનૂની નિષ્ણાતોએ તેનું અલગ અર્થઘટન કર્યું છે. NCLATના આદેશને આધારે મિસ્ત્રીને બોર્ડમાં સમાવી શકાય કે નહીં એ સ્પષ્ટ નથી. જોકે, કાનૂની નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ મુદ્દે નિર્ણય લેવા બોર્ડની બેઠક જરૂરી છે.

શાપૂરજી મિસ્ત્રી જૂથનો કેસ રજૂ કરનારા વકીલ આર્યમા સુંદરમે જણાવ્યું હતું કે, “બોર્ડ ઓફ ડિરેક્ટર્સે (મિસ્ત્રીને સમાવવા) તાત્કાલિક મીટિંગ બોલાવવી જોઈએ. જોકે, અન્ય વકીલોનો મત અલગ હતો. NCLATના 18 ડિસેમ્બરના આદેશમાં ભૂતકાળના કોઈ કેસનો આધાર લેવાયો નથી અને કાનૂની નિષ્ણાતો પણ તેના અમલ અંગે સ્પષ્ટતા ધરાવતા નથી. લેગાસિસ પાર્ટનર્સના મેનેજિંગ પાર્ટનરના જણાવ્યા અનુસાર કોર્ટનો આદેશ સંબંધિત બોર્ડ્સને મિસ્ત્રીનો સમાવેશ કરવા ખાસ કોઈ વિકલ્પ આપતો નથી. તેમનો આપમેળે સમાવેશ થઈ શકે તેમ નથી.

અન્ય કાનૂની અધિકારીએ જણાવ્યું હતું કે, કંપનીઝ એક્ટમાં બોર્ડના ભૂતપૂર્વ સભ્યને તાત્કાલિક સામેલ કરવાની કોઈ જોગવાઈ નથી. L&L પાર્ટનર્સના સિનિયર પાર્ટનર મોહિત સરાફે જણાવ્યું હતું કે, “આદેશનો અમલ કરવો હશે તો કંપનીઝ એક્ટ અને આર્ટિકલ્સ ઓફ એસોસિયેશનનું પાલન નહીં થઈ શકે. બોર્ડની બેઠક મળવી જરૂરી છે. શેરધારકોએ મિસ્ત્રીને બોર્ડમાં સામેલ કરવાનો પ્રસ્તાવ મંજૂર કરવો પડશે. આ શેરધારકોનો અધિકાર છે.” તુલજાપુરકરે વધુ એક બાબત જણાવી હતી કે, “આદેશમાં જણાવ્યા અનુસાર મિસ્ત્રીને બાકીના કાર્યકાળ માટે બોર્ડમાં સમાવવા જોઈએ, પણ તેમનો કાર્યકાળ તો પૂરો થઈ ચૂક્યો છે. તેઓ એ બાબત બિલકુલ ભૂલી ગયા કે ચુકાદાના દિવસે મિસ્ત્રીનો કાર્યકાળ પૂરો થઈ ચૂક્યો હતો.”

મિસ્ત્રી માટે ખરી જીત એ છે કે, તેમની સામે કંપની લો ટ્રિબ્યુનલમાં કરાયેલા તમામ નિવેદનો ખોટાં ઠર્યાં છે. મિસ્ત્રીએ જે વલણ અપનાવ્યું હતું તેને માન્યતા મળી છે. આ તેમના માટે મોટી જીત કહી શકાય. એટલે આ દૃષ્ટિએ તેમનો હેતુસર થયો છે. મિસ્ત્રી મુખ્ય હોલ્ડિંગ કંપની ટાટા સન્સનું ખાનગી કંપનીમાં રૂપાંતર થતું અટકાવી શક્યા છે, જે મિસ્ત્રીની સફળતા કહી શકાય. એટલે બોર્ડના સભ્ય તરીકે તેમનો સમાવેશ કામચલાઉ સ્થિતિ છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/36UiZ64

No comments:

Post a Comment

Pages