Latest

Sunday, December 29, 2019

ઈજિપ્તમાં ગમખ્વાર બસ અકસ્માત, ભારતીય પ્રવાસી સહિત છના મોત

કાહિરાઃ ઈજિપ્તના મિસરમાં એક રોડ દુર્ઘટનામાં ભારતીય અને મલેશિયાના પર્યટક સહિત છ લોકોના મોત થયા હતા અને 24 લોકો ઘાયલ થયા હતા. આ જાણકારી સુરક્ષા સૂત્રોએ આપી છે. એક સિક્યોરિટી ઑફિસરે AFPને જણાવ્યું કે પ્રવાસીઓને લઈ જતી બે બસ કાહિરાના પૂર્વ ભાગમાં એક ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. એક ચિકિત્સા સૂત્રએ જણાવ્યું કે તેમાં બે મલેશિયા મહિલા પર્યટક, ભારતીય પ્રવાસી અને મિસરના ત્રણ નાગરિકો (બસ ડ્રાઈવર, ટૂર ગાઈડ અને સિક્યોરિટી ઑફિસર)નો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 24 જણ ઘાયલ થયા છે અને અનેકની હાલત ગંભીર છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, શરૂ કરવા અહીં ક્લિક કરો

ભારતીય દૂતાવાસે શનિવારે જણાવ્યું કે એન સોખના નજીક 16 ભારતીય પ્રવાસીઓથી ભરેલી એક બસને અકસ્માત નડ્યો હતો. એમ્બેસીએ આ પ્રવાસીઓના સગા સંબંધીઓ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા છે.

ભારતીય દૂતાવાસે વિદેશ મંત્રી એસ.જયશંકરને ટેગ કરતા ટ્વીટ કર્યું છે કે, “ઈજિપ્તના એન સોખનામાં આજે 16 ભારતીય પ્રવાસીઓથી ભરેલી બસ દુર્ઘટના ગ્રસ્ત થઈ ગઈ. હેલ્પલાઈન નંબર +20-1211299905 અને +20-1283487779 ઉપલબ્ધ છે.”


અમદાવાદમાં સ્કૂટીચાલક અને ગાડી વચ્ચે થયો અકસ્માત



from Page Array – I Am Gujarat https://ift.tt/37jCBRk

No comments:

Post a Comment

Pages