કાહિરાઃ ઈજિપ્તના મિસરમાં એક રોડ દુર્ઘટનામાં ભારતીય અને મલેશિયાના પર્યટક સહિત છ લોકોના મોત થયા હતા અને 24 લોકો ઘાયલ થયા હતા. આ જાણકારી સુરક્ષા સૂત્રોએ આપી છે. એક સિક્યોરિટી ઑફિસરે AFPને જણાવ્યું કે પ્રવાસીઓને લઈ જતી બે બસ કાહિરાના પૂર્વ ભાગમાં એક ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. એક ચિકિત્સા સૂત્રએ જણાવ્યું કે તેમાં બે મલેશિયા મહિલા પર્યટક, ભારતીય પ્રવાસી અને મિસરના ત્રણ નાગરિકો (બસ ડ્રાઈવર, ટૂર ગાઈડ અને સિક્યોરિટી ઑફિસર)નો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 24 જણ ઘાયલ થયા છે અને અનેકની હાલત ગંભીર છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, શરૂ કરવા અહીં ક્લિક કરો
ભારતીય દૂતાવાસે શનિવારે જણાવ્યું કે એન સોખના નજીક 16 ભારતીય પ્રવાસીઓથી ભરેલી એક બસને અકસ્માત નડ્યો હતો. એમ્બેસીએ આ પ્રવાસીઓના સગા સંબંધીઓ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા છે.
Embassy of India in Cairo, Egypt: Bus accident with 16 Indian tourists on board occurred yesterday near Ain Sokhna in Egypt. Embassy officials are at hospitals in Suez city and Cairo.
— ANI (@ANI) December 28, 2019
ભારતીય દૂતાવાસે વિદેશ મંત્રી એસ.જયશંકરને ટેગ કરતા ટ્વીટ કર્યું છે કે, “ઈજિપ્તના એન સોખનામાં આજે 16 ભારતીય પ્રવાસીઓથી ભરેલી બસ દુર્ઘટના ગ્રસ્ત થઈ ગઈ. હેલ્પલાઈન નંબર +20-1211299905 અને +20-1283487779 ઉપલબ્ધ છે.”
અમદાવાદમાં સ્કૂટીચાલક અને ગાડી વચ્ચે થયો અકસ્માત
from Page Array – I Am Gujarat https://ift.tt/37jCBRk
No comments:
Post a Comment