અમદાવાદ: વસ્ત્રાપુર લેકની આસપાસ થતાં ટ્રાફિકથી પરેશાન રહેતા લોકો માટે ખુશ ખબર છે. થોડા જ દિવસમાં ટ્રાફિક જામમાં ફસાવવાની સ્થિતિમાંથી મુક્તિ મળી જશે. આગામી 15 દિવસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) IIM-A બ્રિજથી વસ્ત્રાપુર લેકને જોડતાં રોડને પહોળો કરવાની કામગીરી પૂરી કરી ચૂક્યું હશે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
આલ્ફા-વન મોલની પાછળની બાજુએ આવેલો આ રોડ 960 મીટર લાંબો છે. જે કર્ણાવતી હોસ્ટેલ પાસેથી થઈને સરકારી વસાહતવાળા રોડને જોડશે. સાથે જ જીએમડીસી ગ્રાઉન્ડ પાસે આવેલી ગલીમાંથી નીકળીને ડ્રાઈવ-ઈન સુધી જવાશે. AMCના અધિકારીએ કહ્યું, “આ રોડ પરની કામગીરી પૂરી થતાં માનવ મંદિર જંક્શન પાસે થતા ભારે ટ્રાફિકમાંથી છૂટકારો મળશે.”
ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને જાપાનના પ્રધાનમંત્રી શિંજો અબેએ અમદાવાદની મુલાકાત લીધી હતી. એ દરમિયાન તેઓ વસ્ત્રાપુરની એક હોટલમાં રોકાયા હતા. પરિણામે અમુક રસ્તા બંધ કરતાં ભારે ટ્રાફિક સજાર્યો હતો. ત્યારે છેલ્લા ચાર વર્ષમાં VIPઓની મુલાકાત બાદ કોર્પોરેશને નોંધ્યું કે ટ્રાફિક હળવો બનાવવા માટે અન્ય રૂટ હોવો જરૂરી છે. AMCના અધિકારીએ કહ્યું, “વસ્ત્રાપુર લેક નજીકની હોટલમાં મોટાભાગના VIPઓને ઉતારો આપવામાં આવે છે. જેના કારણે વાહનવ્યવહાર પર અસર પડે છે. સિક્યુરિટી ડ્રીલ દરમિયાન આ રૂટ હવે વૈકલ્પિક રૂટ તરીકે ચાલશે.”
JNUના વિદ્યાર્થીઓએ માગ્યુ VCનું રાજીનામું
from Page Array – I Am Gujarat https://ift.tt/2sGcohe
No comments:
Post a Comment