Latest

Monday, April 13, 2020

લોકડાઉનના હીરોઃ તમે ઘરમાં સુરક્ષિત રહો તે માટે આ ઈન્સ્પેક્ટર 19 દિવસથી ઘરે નથી ગયા

અમદાવાદઃ શહેરના કાળપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઈન્સ્પેક્ટર આર.જી દેસાઈ છેલ્લા 19 દિવસથી ઘરે નથી ગયા. તેઓ દિવસ અને રાત પેટ્રોલિંગ કરીને પોતાની ફરજ બજાવી રહ્યા છે. પરિવારથી 456 કલાકથી દૂર આ ઈન્સ્પેક્ટર લોકો પોતાના ઘરોમાં સુરક્ષીત રહે તે માટે પોતાના ઘરે નથી જઈ રહ્યા. તેમની આવી કર્તવ્યનિષ્ઠા જોઈને ફરજ પરના અન્ય પોલીસકર્મીઓ પણ પ્રેરિત થઈ રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

કાળપુર વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટાઈન ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આથી ઈન્સ્પેક્ટર દેસાઈ થોડો સમય પોલીસ સ્ટેશનમાં વિતાવે છે. તે હંમેશા રસ્તા પર રહીને વાહનોનું ચેકિંગ કરતા અને લોકડાઉનના નિયમનું ઉલ્લંઘન કરતા લોકોને પકડતા જોવા મળે છે.

દેસાઈ મૂળ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના છે. તેઓ પોતાના પરિવાર સાથે ગાંધીનગરમાં રહે છે. તે અને તેમની પત્ની જયશ્રીને બે બાળકો છે, દીકરી ભાગ્યશ્રી અને દીકરો મંથન. દેસાઈએ અમારા સહયોગી TOIને જણાવ્યું, હું કાળુપુરના ક્લસ્ટર ક્વોરન્ટાઈન વિસ્તારમાં કામ કરું છું અને હું ઈન્ફેક્ટડ છું કે નહીં, નથી જાણતો. હું મારા પરિવાર અને અન્ય પાડોશીઓને મુશ્કેલીમાં મૂકવા માગતો નથી.

રવિવારે ઈન્સ્પેક્ટર દેસાઈની દીકરીએ તેમની સાથે વિડીયો કોલ દ્વારા વાત કરી અને તેમને ઘરે આવવા કહ્યું. તે રડી રહી હતી. દેસાઈ કહે છે, મેં તેને કહ્યું, ફરજ પહેલા આવે છે. આ સમય સામાન્ય નથી. કાળુપુર વિસ્તાર સેન્સિટીવ છે અને કંઈ પણ થઈ શકે છે, આથી અમારે સાવધાન રહેવું પડે છે.

દેસાઈ સાથે કામ કરતા અન્ય પોલીસકર્મીઓ કહે છે, તે માત્ર થોડો સમય જ આરામ કરે છે. એક પોલીસકર્મીએ કહ્યું, તે કોરોના પોઝિટિવ આવનારા કોન્સ્ટેબલને પણ મદદ કરે છે. કાળુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ કહ્યું, ‘તેમની પાસે યુનિફોર્મના બે સેટ છે. સવારમાં તે પોલીસ સ્ટેશનમાં જ સ્નાન કરીને ડ્યૂટી માટે તૈયાર થાય છે, અને વાહનોનું ચેકિંગ કરવા માટે રસ્તા પર પહોંચી જાય છે.’

ઉલ્લેખનીય છે કે હાલમાં કોરોના વાયરસની મહામારીના કારણે સંક્રમણ ન ફેલાય તે માટે લોકોને ઘરમાં જ રહેવા કહેવાયું છે. એવા ઘણા મામલા સામે આવી ચૂક્યા છે, જ્યારે પોલીસકર્મી પરિવારમાં સંક્રમણ ન ફેલાય તે માટે ડ્યૂટી પરથી ઘરે જઈને દરવાજાની બહાર જ ટેબલ પર જમતા જોવા મળ્યા છે. આ કપરા સમયમાં પણ પોલીસકર્મીઓ પરિવારથી વધારે દેશસેવા અને પોતાની ફરજને મહત્વ આપી રહ્યા છે.

આ પણ જુઓઃ ઉત્તર પ્રદેશઃ લૉકડાઉનમાં આ પોલીસ અધિકારીને વાંદરાઓ આપ્યું ભોજન



from Page Array – I Am Gujarat https://ift.tt/34tORhU

No comments:

Post a Comment

Pages