Latest

Tuesday, April 7, 2020

અમદાવાદઃ બિલ્ડરનો પરિવાર કામદારો સાથે મળીને પોલીસ સહિત રોજ 5000 લોકોને જમાડે છે

અમદાવાદઃ કોરોના વાયરસના વધતા સંક્રમણના કારણે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. એવામાં લોકો પોતાના ઘરમાં રહીને નિયમનું પાલન કરે તે માટે પોલીસ દિવસ-રાત પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે પૂર્વ અમદાવાદમાં એક સેવાભાવી પરિવાર આવા પોલીસ કર્મચારીઓને દિવસમાં બે વખત રાંધીને ફૂડ પેકેટ્સ પહોંચાડી રહ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

આ પરિવાર દિવસમાં 5000 લોકો માટે જમવાનું તૈયાર કરે છે. તેમાં નરોડા અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં તૈનાત 1250થી વધારે પોલીસકર્મીઓને ફૂડ પેકેટ્સ પહોંચાડે છે. આ ઉપરાંત અસારવાની મામલતદાર ઓફિસ અને સિવિલ હોસ્પિટલમાં પણ જરૂરિયાતમંદો સુધી આ ફૂડ પેકેટ્સ પહોંચાડવામાં આવે છે.

લોકડાઉનના પહેલા દિવસથી આ કામ કરી રહેલા પરિવારના કમલેશ ચૌહાણ જણાવે છે કે, હું એક બિલ્ડર છું, આથી હું ઘણા કામદારોને નોકરીએ રાખું છું. કન્સ્ટ્રાક્શનનું કામ બંધ હોવાના કારણે આ કામદારો દિવસમાં 8000 રોટલી તૈયાર કરે છે. તેઓ કઢી-શાક પણ બનાવે છે, જેને પેક કરીને પોલીસ સ્ટેશન અને અન્ય વિસ્તારોમાં મોકલી દેવામાં આવે છે. સાંજના સમયે અમે ખીચડી બનાવીને ડ્યૂટી પરના પોલીસકર્મીઓ અને એરિયામાં જરૂરિયાતમંદોને ખવડાવીએ છીએ.

ચૌહાણ કહે છે, પોલીસ પોતાનો જીવ જોખમમાં મૂકી રહી છે, આથી તેમના આદેશોનું માત્ર પાલન કરવું જ નહીં પરંતુ તેઓ જે પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છે તેના વિશે પણ વિચારવું જોઈએ. ફરજ પરના પોલીસને ભોજન પૂરું પાડવાનું અમારું કામ તેમના કામની સામે સામાન્ય ધન્યવાદ છે.

આ ઉપરાંત ચૌહાણની કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરનારા મજૂરોને પોતાની રોજી વિશે વધારે ચિંતા કરવાની જરૂર નથી, તેમાંથી મોટાભાગના લોકો પોતાનો દિવસ પોલીસ અને જરૂરિયાતમંદો માટે ખોરાક બનાવવા અને પેકિંગ કરવામાં પસાર કરે છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2xPKAch

No comments:

Post a Comment

Pages