અમદાવાદઃ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં ગુરુવારે સાંજે લોકડાઉન દરમિયાન એપાર્ટમેન્ટના ધાબા પર સૂઈ રહેલા ત્રણ લોકો ડ્રોન કેમેરામાં કેદ થઈ ગયા હતા. પોલીસની એક ટીમે ત્યાં જઈને ત્રણેયને ઓળખી લીધા હતા. રવિવારે આ મામલે ફરિયાદ નોંધીને પ્રાથમિક તપાસ શરૂ કરતા ત્રણેય વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી, અને તે જ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાંથી જામીન પર છોડી મૂકવામાં આવ્યા હતા.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
આ મામલે નોંધાયેલા ફરિયાદ મુજબ, ચાંદલોડિયા બ્રિજ નજીક આવેલા ધનશ્યામ કોમ્પલેક્ષમાં લોકડાઉનનું ઉલ્લંધન કરનારા ત્રણેય વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, એવામાં ગરમી સહન ન થતા ત્રણેય વ્યક્તિઓ પોતાના ટેરેસ પર સૂવા માટે ગયા હતા. આ દરમિયાન તે વિસ્તારમાં ઘાટલોડિયા પોલીસ ડ્રોન ઉડાવી રહી હતી. ધાબા પર રહેલા ત્રણેય વ્યક્તિઓને પોતાના ફોટોગ્રાફ ક્લીક થઈ ગયા હોવાનું જણાઈ ગયું હતું. આ બાદ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનની ટીમ કોમ્પલેક્ષમાં ગઈ અને તેમને ઓળખી કાઢ્યા હતા.
પ્રાથમિક તપાસમાં તેમણે પોલીસને જણાવ્યું હતું કે, ગરમી વધારે હોવાથી તે સહન થતી નહોતી, આથી તેઓ આરામ કરવા માટે ધાબા પર ગયા હતા. તેમણે કહ્યું કે, તેઓ એવી ધારણામાં છે કે ચાર અથવા તેથી વધારે લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે અને તેઓ ત્રણ હોવાથી તેમને લાગ્યું કે તેઓ કોઈ મુશ્કેલીમાં નથી.
જોકે પોલીસ અધિકારીએ કહ્યું કે, રાજ્યના ગૃહ મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડીને લોકડાઉનમાં કારણ વિના ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઘાટલોડિયા પોલીસે આ નોટિફિકેશનનું પાલન ન કરવા અને એપિડમિક ડિસીઝ એક્ટ હેઠળ ત્રણેય સામે ફરિયાદ નોંધી હતી.
from Page Array – I Am Gujarat https://ift.tt/34yVC1J
No comments:
Post a Comment