નિમેષ ખાખરીયા, રાજકોટઃ દેશમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. તેને મહાત આપવા માટે ડોક્ટરો અને નર્સો રાત-દિવસ ખડેપગે હોસ્પિટલમાં કામ કરી રહ્યા છે. કોરોના સંક્રમિતોની સારવાર દરમિયાન તેમને પણ ચેપ લાગવાનો ખતરો રહે છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં નર્સ તરીકે ફરજ બજાવતી હેતલ કામલિયામાં પણ કોવિડ 19ના શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા, જો કે તેનો ટેસ્ટ નેગેટિવ આવતાં તેણે રાહતનો શ્વાસ લીધો હતો. અને હવે ફરી તે નવા ઉત્સાહ સાથે કામ પર પરત ફરી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
સાધુ વસવાણી રોડ, કાલાવાડ રોડ, હનુમાન મઢી અને 150 ફૂટ રિંગ રોડ પર આવેલા નાણાવટી ચોકને આવરી લેતા વોર્ડ નંબર 9નાં નંદનવન આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી કામલિયાએ અત્યારસુધીમાં વિદેશથી પરત ફરેલા 250 લોકોની તપાસ કરી છે, જેમાંથી 3નો કોવિડ 19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
કામલિયા દિવસ દરમિયાન 10થી 12 કલાક કામ કરે છે અને જ્યારે જરૂર પડે ત્યારે અડધી રાત્રે પણ દર્દીઓની મુલાકાત લે છે.
ફરજ દરમિયાન 24 માર્ચે તેનામાં લક્ષણો જોવા મળ્યા હતા અને 27 માર્ચે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પરંતુ તેનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં તેને 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટિનમાં રહેવાનું કહેવાયું હતું.
9 એપ્રિલના રોજ પોતાનો ક્વોરન્ટિન સમયગાળો પૂરો થયા પછી કામલિયા ફરજ પર પરત ફરી છે અને ક્વોરન્ટિનમાં રહેલા તેમજ શંકાસ્પદોની તપાસ કરવાનું કામ શરૂ કર્યું છે.
અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં કામલિયાએ કહ્યું કે, ‘આ કપરા સમયમાં હું મારા દેશની સેવા કરી શકું છું, તે વાત પર મને ગર્વ છે. હું દેશ સેવા કરવા માટે આર્મીમાં જવા માગતી હતી. પરંતુ આ મારા માટે ભગવાને આપેલી તક છે અને હું મારા દેશ તેમજ સમાજની સેવા માટે પૂરતાં પ્રયાસો કરીશ’.
હેતલ કામલિયાનો પતિ સલૂન ચલાવે છે અને તે હંમેશા તેની પડખે ઉભો રહે છે, તે તેના કામમાં સપોર્ટ પણ આપે છે. હોમ ક્વોરન્ટિનમાં રહેલા લોકો પાસે તેનો નંબર છે અને તેઓ ઘણીવાર તેને ફોન પણ કરે છે. ઘણી વખત તો લોકો રાત્રે પણ ફોન કરીને ઘરે વિઝિટ માટે આવવાનું કહે છે. કોરોના વાયરસ જેવા લક્ષણો ધરાવતા લોકો માટે શરૂ કરવામાં આવેલી 104 હેલ્પલાઈનમાં આવતા કોલ કામલિયાને ડાઈવર્ટ કરવામાં આવે છે. ‘મારે તે ઘરે શંકાસ્પદોની મુલાકાત લેવા અને તેમની તપાસ કરવા માટે જવું પડે છે. ઘણી વખત તો અડધી રાત્રે હું મારા ટુ-વ્હીલર પર તેમના ઘરે જાઉ છું’, તેમ કામલિયાએ કહ્યું.
કામલિયા તેવા લોકોના કોન્ટેક્ટમાં પણ રહે છે જેનો ક્વોરન્ટિન સમયગાળો પૂરો થઈ ગયો છે. આ સિવાય તે ક્વોરન્ટિનમાં રહેલા લોકો પર પણ નજર રાખે છે, જેથી તેઓ આદેશોનું ઉલ્લંઘન ન કરે. સાથે તેણે આવા લોકોની ઘર બહાર અન્ય લોકોને દૂર રહેવા ચેતવતા બેનર પણ લગાવી દીધા છે.
લૉકડાઉનમાં પડોશીઓ સાથે વાટકી વ્યવહાર માટે બનાવ્યો ‘ખાસ રોપવે’
from Page Array – I Am Gujarat https://ift.tt/2xrDT0e
No comments:
Post a Comment