અમદાવાદઃ લોકડાઉન દરમિયાન લોકો ઘરમાં રહે તે માટે દૂરદર્શન (Doordarshan) દ્વારા રામાયણ (Ramayan) સિરિયલ દૂરદર્શન પર રિ-ટેલિકાસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. વર્ષો જૂની સિરિયલ ફરી બતાવવાના નિર્ણયથી દર્શકો પણ ઉત્સાહિત થઈ ગયા. પણ હવે દૂરદર્શન સામે દર્શકોની નારાજગી પણ સામે આવી રહી છે. આ નારાજગીનું કારણ છે કેટલાક અધૂરા સીન. રામાયણ શરુ થયા પછી તેમાંથી ઘણાં સીન પર કાતર ફેરવી દેવામાં આવી છે, પણ સોમવારે રાત્રે 9 વાગ્યે પ્રસારિત થયેલા એપિસોડમાં તો હદ થઈ ગઈ.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
પ્રસંગ હતો ભગવાન રામના કહેવા પર સુગ્રીવ પોતાના ભાગ બાલીને લલકારે છે અને યુદ્ધ કરે છે. આ પછી ભગવાન રામ છૂપાઈને તીર ચલાવે છે અને બાલીનું વધ કરે છે. આ પછી બાલીની પત્ની તારા અને અંગદવાળા આખા સીન પર કાતર ફેરવી દેવામાં આવી. જેના પર દર્શકો ભડકી ગયા અને તેમણે પોતાના નારાજગી સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી. જેના પરિણામે મંગળવારે સવારે 9 વાગ્યે આખી સિરિયલ બતાવવામાં આવી.
અમદાવાદઃ શાહપુરની પોળમાં સફાઈ કર્મચારીનું કરવામાં આવ્યું સન્માન
દર્શકોએ કહ્યું કે આજની પેઢીને પૂરું જ્ઞાન મળે તે જરુરી
વર્ષો પહેલા આવેલી રામાયણ સિરિયલને રિ-ટેલિકાસ્ટ કરવામાં આવી રહી છે આવામાં કેટલાક ડાયલોગ્સ અને સીન પર કાતર ફરી જાય તો અધૂરી જાણકારી મળશે. દર્શકોએ પોતાની ફરિયાદમાં જણાવ્યું આજની નવી પેઢી આ સિરિયલ જોઈ રહી છે એવામાં તેમને અધૂરું જ્ઞાન મળે તે યોગ્ય નથી. રામાણય બતાવવી હોય તો પૂરી બતાવો.
It's such wonderful gesture by @DDNational . After appealing that they're cropping important conversations, they again telecast the whole conversations. I'm glad that they listen my appeal. Hope they will never edit any episode again in future! #Ramayan #RamayanOnDDNational pic.twitter.com/8HF6GjPFuA
— Rahul Wadhwani (@WadhwaniRahul1) April 7, 2020
દર્શકોની ફરિયાદનું શું આવ્યું પરિણામ
દર્શકોએ ફરિયાદ કર્યા પછી રામાયણના કાપવામાં આવેલા અંગદવાળા સીનને મંગળવારે સવારે દર્શાવવામાં આવ્યો. આમ દર્શકોની તાકાત સામે દૂરદર્શને ઝૂકવું પડ્યું.
રામ નવમીના દિવસે બતાવી હતી રાજા દશરથની અંત્યેષ્ઠિનો એપિસોડ
દૂરદર્શન દ્વારા રામનવમીના દિવસે મોટી ભૂલ થઈ હોવાનું પણ દર્શકો દ્વારા સોશિયલ મીડિયા જણાવવામાં આવ્યું હતું. આ દિવસે રાજા દશરથની અંત્યેષ્ઠિનો એપિસોડ બતાવવામાં આવ્યો હતો જેની લોકોએ નિંદા કરી હતી.
from Page Array – I Am Gujarat https://ift.tt/34r6nmS
No comments:
Post a Comment