Latest

Wednesday, May 6, 2020

કોરોનાનો કહેર: મુંબઈની હોસ્પિટલોમાં બેડ માટે ચાલી રહ્યું છે 3 દિવસનું વેઈટિંગ!

સૌમિત્રા દેબરોય, મુંબઈ: કોરોનાના કેસ જેમ-જેમ વધી રહ્યા છે તેમ સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને થતી હાલાકીમાં પણ વધારો થઈ રહ્યો છે. આ રોગચાળો શરુ થયો ત્યારે દર્દીઓને કલાકોમાં બેડ ફાળવી દેવાતો હતો, પરંતુ હવે આ વેઈટિંગ પિરિયડ વધીને ત્રણ દિવસનો થઈ ગયો છે. ICUમાં તો હાલત તેનાથી પણ વધારે ખરાબ છે. મુંબઈમાં હાલ 9,945 પોઝિટિવ કેસ છે, જેમાંથી 150ની હાલત ગંભીર હોવાથી તેમને ICUમાં સારવાર અપાઈ રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

ICUમાં એડમિટ થનારા દર્દીઓની સારવાર સરેરાશ 10-12 દિવસ ચાલતી હોવાથી બેડ જલ્દી ખાલી નથી થતા, જેના લીધે નવા દર્દીને દાખલ નથી કરી શકાતા. માત્ર સરકારી જ નહીં, ખાનગી હોસ્પિટલોમાં પણ આ જ સ્થિતિ છે, જેમાં શ્વાસ લેવામાં તકલીફ અનુભવતા દર્દીઓને પણ કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. શહેરની લીલાવતી, નાણાવટી, બ્રિચકેન્ડી તેમજ ફોર્ટિસ જેવી પ્રાઈવેટ હોસ્પિટલોમાં તો હાલ એકેય ICU બેડ ખાલી નથી.

પવઈમાં રહેતા 31 વર્ષીય શખ્સની પત્ની, બાળકી અને 55 વર્ષીય માતાનો રિપોર્ટ બીજી મેના રોજ પોઝિટિવ આવ્યો હતો. તેણે BMCની હેલ્પલાઈન પર જાણ કરતાં જ એક ટીમ આવીને તેનું ઘર સેનેટાઈઝ કરી ગઈ હતી, અને તેની સોસાયટી સીલ કરી દેવાઈ હતી જોકે, પોઝિટિવ પેશન્ટને લેવા માટે એમ્બ્યુલન્સ છેક સાંજે સાડા પાંચે આવી હતી. દર્દીઓને રાજાવાડી હોસ્પિટલના ગેટ પર જ ઉતારી દેવાયા હતા. કલાકો સુધી રાહ જોયા બાદ પણ બેડ ના મળતા આ શખ્સે પોલીસ કંટ્રોલ રુમમાં ફોન કરીને ધમકી આપી હતી કે જો તેના પરિવારજનોને સારવાર ના મળી તો તે આપઘાત કરી લેશે.

આ વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમને કહેવાયું હતું કે એકેય બેડ ખાલી નથી. પરંતુ તેમને રાહ જોવા માટે જણાવાયું હતું. તેમણે સાંજના છ વાગ્યાથી રાતના દોઢ વાગ્યા સુધી રાહ જોઈ હતી. તેની માતા ડાયાબિટિક હતી અને આખો પરિવાર ભૂખ્યો-તરસ્યો હતો. આખરે આ વ્યક્તિને છાતીમાં દુ:ખાવો ઉપડતા તેને સારવાર આપવી પડી હતી. તેની માતા હોસ્પિટલે કલાકો રાહ જોયા બાદ ઘરે જવા નીકળી હતી, પરંતુ તેમની સોસાયટી સીલ હોવાથી તેને આખી રાત ભૂખ્યા-તરસ્યા રસ્તા પર ભટકવું પડ્યું હતું.



from Page Array – I Am Gujarat https://ift.tt/2L3lVED

No comments:

Post a Comment

Pages