Friday, June 19, 2020

પુષ્કળ પ્રમાણમાં નર્મદા ડેમમાં આવ્યા નવા નીર, ડેમની સપાટી 127.46 મીટર પહોંચી

અમદાવાદઃ હજુ તો રાજ્યમાં ચોમાસાની શરુઆત થઈ છે અને સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ઊંચી આવી રહી છે. આ અંગે ગુરુવારે સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું કે ડેમમાં પાણીની સપાટી કુલ સપાટીની 11 મીટર દૂર છે.

ઉપરવાસમાં થયેલા સારા વરસાદના કારણે ડેમમાં નવા નીર આવ્યા છે, આ અંગે જણાવવામાં આવ્યું છે કે, મધ્યપ્રદેશમાં આવેલા ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર ડેમમાં પાણીની સપાટી 2,700 મિલિયન ક્યુબિક મીટર થઈ છે, જ્યાંથી ખાસ કરીને નવા નીર આવ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL)ના ડિરેક્ટર પીસી વ્યાસે જણાવ્યું કે, “ડેમમાં પાણીનું લેવલ 127.46 મીટર પહોંચ્યું છે.” એટલે કે ડેમની કુલ સપાટી 138.68 મીટરથી 11.22 મીટર ડેમ ખાલી છે.

ગુજરાતના કેવડિયામાં આવેલા સરદાર સરોવડ ડેમની સપાટી પાછલા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં તેની 138.68 મીટર પહોંચી હતી, આ પહેલા આવું વર્ષ 2017માં થયું હતું.

SSNNLના ડિરેક્ટર વ્યાસે જણાવ્યું કે, લગભગ 40,000 ક્યુસેકના પ્રમાણમાં પાણી આવી રહ્યું છે, આ સાથે ડેમ પર રહેલા રિવર-બેડ અને કેનાલ-હેડ પાવર હાઉસ બુધવારથી શરુ કરવામાં આવ્યા છે.

જ્યારે 5 રિવર-બેડ પાવર હાઉસ દ્વારા 1,000 MW વીજળી ઉત્પન્ન થાય છે, જ્યારે હાલ 2 કેનાલ-હેડ પાવર હાઉસથી 100 MW વીજળી ઉત્પન્ન થાય છે.

અઘરું નથી, આ રીતે IAS અધિકારી ડિપ્રેશનમાંથી બહાર આવ્યા

ઉપરવાસમાંથી પુષ્કળ પ્રમાણમાં આવી રહેલા પાણી સાથે 7,000 ક્યુસેક પાણી નર્મદાની મુખ્ય કેનાલમાં છોડાઈ રહ્યું છે, જ્યારે 33,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

“હાલ, રિવર-બેડ ને કેનાલ-બેડ પાવર હાઉસ કાર્ય કરતા હોવાથી લગભગ 17થી 20 મિલિયન યુનિટ્સ વીજળી ઉત્પન્ન થાય છે જેની કિંમત 3.5થી 4 કરોડ જેટલી થાય છે.”

સાથે-સાથે મુખ્ય કેનાલમાં પાણી છોડાતા ખાલી થયેલા તળાવોની સાથે પીવાનું અને ખેતીમાં વપરાતું પાણી પુરતા પ્રમાણમાં મળી રહેશે તેવું તેમણે જણાવ્યું.



from Page Array – I Am Gujarat https://ift.tt/2BgtnKN

No comments:

Post a Comment

Pages