અમદાવાદ: અમદાવાદ શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વધુ 29 કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા 356 થઈ ગઈ છે. જ્યારે એક દર્દીનું મોત થતા મૃત્યુઆંક 23 પર પહોંચ્યો છે. આમ શહેરની જેમ ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ પણ ચિંતાજનક બની ગઈ છે. નવા નોંધાયેલા 29 કેસોમાં બોપલના બે કેસનો પણ સમાવેશ થાય છે. જ્યારે ધોળકામાં વધુ 10 કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 100 પર પહોંચી ગઈ છે.
નવા નોંધાયેલા 29 કેસમાં સૌથી વધુ 10 કેસ ધોળકામાં નોંધાયા છે. જ્યારે બાવળામાં 6 કેસ, દસક્રોઈમાં 4 કેસ, સાણંદમાં 8 કેસ અને વિરમગામમાં એક કેસ નોંધાયો છે. જિલ્લામાં નોંધાયેલા 29 કેસ પૈકી બોપલના 2 કેસનો પણ સમાવેશ થાય છે. જેમાં બોપલના સારંગ એપાર્ટમેન્ટ અને બિન્નેરી સંપદામાં એક-એક કેસ નોંધાયો છે.
અમદાવાદ જિલ્લામાં વધુ એક દર્દીનું મોત થતા હવે કુલ મૃત્યુઆંક 23 પર પહોંચ્યો છે. જિલ્લામાં 356 કેસ પૈકી 213 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈને પરત ધર ફર્યા છે. આમ અત્યાર સુધી જિલ્લામાં 60 ટકા જેટલા દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે 6 ટકા દર્દી એટલે 23 દર્દીના મોત થયા છે. તેમજ 120 દર્દીઓ હજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 289 નવા કેસ નોંધાયા છે. જેથી અમદાવાદમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 13,967 પહોંચી ગઈ છે. રાજ્યમાં સૌથી વધુ મૃત્યુઆંક અમદાવાદમાં નોંધાયો છે. 26 મૃત્યુ સાથે અમદાવાદમાં કુલ મૃત્યુઆંક 994 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 210 દર્દીઓ સાજા થયા છે. જ્યારે અત્યાર સુધી કુલ 9,689 દર્દીઓ સાજા થયા છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/37egU6f
No comments:
Post a Comment