જ્વાળામુખીથી છે બચાવે છે ગણનાયક ગણેશ

શું તમે જાણો છો કે ભારતમાં જ નહીં ઇન્ડોનેશિયામાં પણ અનેક ગણેશ મંદિર છે અને ઇન્ડોનેશિયાના એક જ્વાળામુખીના મુખ આગળ બિરાજેલા ગણેશજી 700 વર્ષથી ત્યાં જ છે? અહી આપણે જે ગણપતિની વાત કરવા જઈ રહ્યા છે તે આ પૂર્વ જાવા પ્રાંતના બ્રોમો ટેન્ગર સેમેરુ નેશનલ પાર્કમાં આવેલું છે.
સક્રિય જ્વાળામુખીને ટોચે બીરાજે છે વિઘ્નહર્તા ગણેશ

આ વિસ્તારમાં 141 જ્વાળામુખી છે, જેમાંથી 130 હજુયે સક્રિય છે. પૂર્વ જાવાનો માઉન્ટ બ્રોમો તેમાંનો જ એક છે, જે હજારો વર્ષોથી આ જ રીતે ભભૂકી રહ્યો છે. આ પહાડ પર 2329 મીટરની ઊંચાઈએ લાવા પથ્થરોથી બનેલા ગણેશની સ્થાપના આશરે 700 વર્ષ પહેલા કરાઈ હતી. અહીંના 48 ગામના 3 લાખ હિંદુઓને આસ્થા છે કે, આ ગણેશ જ તેમના રક્ષક છે.
શું ખાસ છે અહીં બિરાજિત ગણેશજીની મૂર્તિમાં

જાવાનીઝ બાષામાં બ્રોમોનો અર્થ થાય છે બ્રહ્મા, પણ આ જ્વાળામુખીમાં ગણેશજીનું ખાસ સ્થાન છે. સ્થાનિક લોકોની માન્યતા છે કે જે મૂર્તિ જ્વાળામુખીના મુખ આગળ છે તે લોકોની રક્ષા કરે છે. ઇન્ડોનેશિયામાં હિન્દુઓની સંખ્યા ખૂબ જ વધારે છે અને અહીં પણ મંદિરોની ઉણપ નથી. ગણેશ મંદિરથી લઈને શિવ મંદિર સુધી ઘણાં ભગવાન અહીં મળશે.
આવી છે પરંપરા

આ પહાડની સૌથી નજીકના ગામ કેમોરો લવાંગમાં હિંદુ પરિવારો રહે છે, જે સ્થાનિક ભાષામાં ટેંગરેસ તરીકે ઓળખાય છે. તેઓ પોતાને 12મી સદીના માજપાહિત શાસકના વંશજો કહે છે. આ લોકો માને છે કે, તેમના પૂર્વજોએ આ ગણેશની સ્થાપના કરી હતી. જે જગ્યાએથી જ્વાળામુખી પર્વતનું ચઢાણ શરૂ થાય છે, ત્યાં નવમી સદીમાં કાળા પથ્થરોથી બનેલા બ્રહ્માજીનું પણ મંદિર છે.
બ્રોમો એટલે બ્રહ્મા

જાવાની જેવનીઝ ભાષામાં બ્રહ્માને બ્રોમો કહેવાય છે. માઉન્ટ બ્રોમો પર આખું વર્ષ ગણપતિની પૂજા થાય છે, પરંતુ મુખ્ય આયોજન જુલાઈમાં 15 દિવસ સુધી કરાય છે. 500 વર્ષથી જૂની આ પરંપરા ‘યાદનયા કાસડા’ કહેવાય છે, જે આજ સુધી ક્યારેય અટકી નથી. ભલે પછી જ્વાળામુખીમાં ભીષણ વિસ્ફોટ કેમ ના થતા હોય!
બકરીની બલી પણ ચઢાવે છે

ઉપર દર્શાવેલ ગણેશજીની મૂર્તિ પર પૂજાની સાથે ફળ, ફૂલ વગેરે અને પ્રસાદ તરીકે બકરીઓની બલિ પણ ચડાવવામાં આવે છે. એવી માન્યતા છે કે આમ નહીં કરવામાં આવે તો જ્વાળામુખીનો પ્રકોપ અહીંના લોકોને ભસ્મ કરી દેશે.
from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat https://ift.tt/3gYoOoF
No comments:
Post a Comment