બે દિવસમાં 191 કેસ નોંધાયા

સુરત: ગુરુવારે સુરતનાં કોરોનાના વધુ 95 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંકડો 2012 પર પહોંચી ગયો છે. સુરતમાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસનો રાફડો ફાટી રહ્યો છે. ગુરુવારે 95 અને બુધવારે 96 કેસ મળી બે દિવસમાં કુલ 191 કેસ નોંધાયા છે. આટલી મોટી સંખ્યામાં કેસો આવી જતા સુરતમાં હવે કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
કુલ કેસોની સંખ્યા 2000ને પાર
ગુરૂવારે છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોનાના 95 કેસ નોંધાયા છે. જેમાં સુરત શહેરના 7 અને 8 કેસ જિલ્લાના છે. ગઈકાલે નોંધાયેલા કેસોમાં કતારગામ ઝોનમાં 25 કેસ, સેન્ટ્રલ ઝોનમાં 11, વરાછા ઝોનમાં 7 કેસ, લિંબાયત ઝોનમાં 11, ઉધના ઝોનમાં 18, અઠવા ઝોનમાં 3 અને રાંદેર ઝોનમાં 1 કેસ નોંધાયો છે. આ સાથે કુલ કેસની સંખ્યા 2012 પર થઈ ગઈ છે. જેમાં સુરત શહેરના 1889 અને જિલ્લાના 143 કેસનો સમાવેશ થાય છે.
24 કલાકમાં એક પણ મોત નહીં

છેલ્લા 24 કલાકમાં સુરતમાં એક પણ મોત ન નોંધાતા અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 78 છે. શહેરના 44 અને જિલ્લાના 3 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી રિકવરી આંક 1306 પર પહોંચી ગયો છે.
સુરતમાં BRTS બસ સેવા શરૂ

લોકડાઉનમાં સંપૂર્ણપણં બંધ રહેલી બીઆરટીએસ બસ સેવા 5 જૂનથી શરૂ કરવા પાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જેના અનુસંધાને આજથી પાલ આરટીઓથી કામરેજ ટર્મિનલ, 20-ગજેરા સર્કલથી ખરવરનગર, 22-ઉત્રાણ આર.ઓ.બીથી સરથાણા નેચર પાર્ક રૂટની બીઆરટીસ બસ સેવા શરૂ કરવામાં આવશે. તેમજ લિનિયર બસ સ્ટોપ, ગોલ્ડન ગેટ સર્કલ, સહારા દરવાજા બસ સ્ટોપ કન્ટેઈનમેન્ટ વિસ્તારને કારણ બસ સેવા બંધ રહેશે.
from Page Array – I Am Gujarat https://ift.tt/3eSFz2V
No comments:
Post a Comment