Latest

Saturday, June 20, 2020

ગલવાન ઘાટીને લઈને ચીનનો ચોંકાવનારો દાવો, ભારતીય સૈનિકોને લઈને કહી આ વાત

ચીનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો કે ગલવાન ઘાટી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ચીન તરફ છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ એવો પણ દાવો કર્યો કે 15મી જૂનના રોજ સાંજે ભારતીય સૈનિકોએ એલએસીને પાર કરીને ચીનના સૈનિકો પર હુમલો કર્યો હતો.

ચીનના ગલવાન ઘાટી પર દાવાના એક દિવસ પહેલાં ભારતે ગલવાન ઘાટી પર ચીની સેનાના દાવાને નકારી દીધો હતો અને બેઇજિંગથી પોતાની ગતિવિધિઓ એલએસીને પેલી પાર સુધી જ સીમિત રાખવાનું કહ્યું હતું. ગલવાન ઘાટી પર ચીનના સાર્વભૌમત્વ દાવાને ભારત પહેલેથી જ નકારી ચૂકયું છે. ભારતનું કહેવું છે કે આવી રીતે કરાયેલો દાવો 6 જૂનના રોજ ઉચ્ચ સ્તરીય સૈન્ય વાર્તામાં બનેલી સહમિતીની વિરૂદ્ધ છે.

ચીને ગલવાન વેલીને ગણાવ્યો પોતાનો હિસ્સો
મીડિયા સાથેની વાતચીત દરમિયાન ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિઆને ફરી એકવાર ભારતને 15 જૂનના પૂર્વી લદ્દાખમાં થયેલી હિંસક અથડામણ માટે જવાબદાર ઠેરવ્યો છે. તેમણે કહ્યું, ‘ગેલવાન ખીણ વાસ્તવિક નિયંત્રણ રેખાના ચીની ભાગમાં આવે છે. ચીનના સિક્યુરિટી ગાર્ડ ઘણા વર્ષોથી ત્યાં પેટ્રોલિંગ કરી રહ્યા છે અને તેમની ફરજો બજાવી રહ્યા છે.

ભારતે કરાર તોડ્યો, અમારા સૈનિકો પર હુમલો કર્યો: ચીન
ચીને દાવો કર્યો હતો કે ભારતીય સૈનિકો સોમવારે સાંજે કરારને તોડીને ચીની સરહદમાં ઘૂસી ગયા હતા અને તેમની સાથે વાતચીત કરવા આવેલા ચીની અધિકારીઓ અને સૈનિકો પર હુમલો કર્યો હતો. આ પછી હિંસક અથડામણ અને લશ્કરી જાનહાનિ થઈ હતી. ચીનના પ્રવક્તાએ દાવો કર્યો છે કે, ‘ભારતીય સેનાએ બંને દેશો વચ્ચેના કરારની સાથે-સાથે આંતરરાષ્ટ્રીય સંબંધોને સંચાલિત મૂળભૂત ધોરણોનું ઉલ્લંઘન કર્યું છે. ચીને ભારતીય પક્ષનો આકરો વિરોધ કર્યો છે.

ઝાઓએ વાતચીતની વકાલત કરી
વિદેશ મંત્રાલયની વેબસાઇટ પરની એક પ્રેસ નોટમાં ઝાઓએ કહ્યું કે, “પ્રદેશની પરિસ્થિતિને પહોંચી વળવા વહેલી તકે બીજી કમાન્ડર-સ્તરની બેઠક યોજાવી જોઈએ.” તેમણે કહ્યું કે બંને પક્ષો તણાવ ઘટાડવા માટે રાજદ્વારી અને સૈન્ય દ્વારા વાતચીત કરી રહ્યા છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2AW1Myy

No comments:

Post a Comment

Pages