સુરતઃ શહેરમાં અનલોક-1 બાદથી ડાયમંડ યુનિટ્સ ફરીથી ધમધમતા થયા છે. પરંતુ આ સાથે જ રત્નકલાકારોમાં કોરોનાનું સંક્રમણ ફેલાવાની ઘટનાઓ સામે આવી રહી છે. આવા જ એક ડાયમંડ યુનિટમાં કામ કરતા 54 વર્ષના રત્નકલાકાર મુળજી ધામેલિયા (નામ બદલ્યું છે) કોરોના પોઝિટિવ આવ્યા બાદ પોતાના પગારને લઈને ચિંતામાં હતા. આ બાદ કંપનીના માલિકે તેમને ફોન કરીને ફુલ પગાર અને તમામ મેડિકલ ખર્ચ આપવાની ખાતરી આપી. આટલું જ નહીં કંપનીએ તેમને પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ શિફ્ટ કરાવવાની વાત કરી. ધામેલિયાની જેમ ઘણા રત્નકલાકારોને પણ કંપની તરફથી આવી મદદ મળી રહી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
ધર્મનંદન ડાયમંડ્સના મેનેજિંગ ડિરેક્ટર હિતેશ પટેલે અમારા સહયોગી TOIને જણાવ્યું કે, કોરોના સંક્રમિત થયેલા રત્નકલાકારો અમારા ડાયમંડ પરિવારનો ભાગ છે. અમે તેમને પૂરો પગાર આપવા સાથે મેડિકલ ખર્ચ પણ ભોગવીને મદદ કરીશું. તેઓ આગળ કહે છે, લોકડાઉન દરમિયાન પણ જ્યારે યુનિટ બંધ હતું ત્યારે કંપનીએ કર્મચારીઓને પૂરો પગાર આપ્યો હતો. આ કારણે જ સૌરાષ્ટ્ર ગયેલા અમારા સ્ટાફના રત્નકલાકારો નાની નોટિસમાં જ ફરીથી કામ પર જોડાઈ ગયા હતા.
જ્યારે બ્લ્યૂ સ્ટાર ડાયમંડ્સના ચેરમેન અસિત મહેતાએ કહ્યું, અમે કંપનીની પોલિસી મુજબ કોરોના સંક્રમિત આવેલા અમારા કર્મચારીઓ અને તેમના પરિવારજનોની તમામ શક્ય મદદ કરી રહ્યા છીએ. જ્યારે અન્ય ડાયમંડ યુનિટના માલિક કિર્તી શાહ કહે છે, કંપની કોરોના સંક્રમિત આવેલા 5 રત્નકલાકારો અને તેમના સંપર્કમાં આવીને હોમ ક્વોરન્ટાઈન થયેલા 10 સ્ટાફના સદસ્યોને પૂરો પગાર આપી રહી છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2ZcFyRh
No comments:
Post a Comment