Latest

Saturday, June 20, 2020

સુરત મહાનગરપાલિકાએ વાટલિયા પ્રજાપતિ સમાજને આપ્યું કોરોના વાયરસનું એલર્ટ

મેલ્વિન રેગી થોમસ, સુરતઃ સુરત મહાનગર પાલિકાએ એક કોમ્યુનિટી માટે કોવિડ 19નું એલર્ટ આપ્યું છે, જેની 25 ટકા વસ્તી G6PD ડેફિસિયન્સી નામના જેનેટિક બ્લડ ડિસઓર્ડરથી પીડાય છે, જે રેડ બ્લડ સેલ્સને અસર કરે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

SMCએ વાટલિયા પ્રજાપતિના સભ્યોને વધારે કાળજી રાખવાનું કહ્યું છે કારણ કે તેઓ હાઈડ્રોક્સીક્લોરોક્વીની જેવી દવાઓ લઈ શકે તેમ નથી. જો તેઓ આવી દવા લે તો તે તેમને ગંભીર આંતરિક રક્તસ્ત્રાવ તરફ દોરી શકે છે. સુરતમાં વાટલિયા પ્રજાપતિ સમાજના લગભગ 1.5 લાખ લોકો રહે છે, જેમાંથી મોટાભાગના કતારગામ ઝોનમાં સ્થાયી થયા છે. જે 700 જેટલા કેસોની સાથે કોવિડ-19નું હોટસ્પોટ બન્યું છે.

ન્યૂ સિવિલ હોસ્પિટલના રેસ્પિરેટરી મેડિસિનના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો. પારુલ વડગામાએ અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, ‘આ કોમ્યુનિટીના 20થી 25 ટકા પુરુષો અને 13થી 15 સ્ત્રીઓમાં G6PDની ઉણપ છે. જો તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવે છે તો રાજ્ય સરકારે આ કોમ્યુનિટીના દર્દીઓ માટે G6PD ટેસ્ટ ફરજિયાત કરવો જોઈએ’.

વાટલિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ નંદલાલ પાંડવ પણ આ બીમારીથી પીડાઈ રહ્યા છે, તેમણે કહ્યું કે, ‘અમારા સમાજ માટે કોવિડ-19 એક મોટો પડકાર છે. સંક્રમણથી બચવા માટે અમે પહેલા જ લોકોને વધારે સાવચેતી રાખવાની અપીલ કરી હતી’.

નંદલાલ પાંડવે કહ્યું કે, બે અઠવાડિયા પહેલા કતારગામમાં વૃદ્ધ વ્યક્તિ મૃત્યુ પામતા સમાજના 200 જેટલા લોકો તેમની અંતિમ ક્રિયામાં હાજર રહ્યા હતા. જેમાંથી 20નો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

SMC કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું કે, ‘અમે આ મુદ્દે વાટલિયા પ્રજાપતિ સમાજના આગેવાનો સાથે મીટિંગ યોજી હતી. કોમ્યુનિટીના સભ્યોની દેખરેખ માટે એક સ્પેશિયલ ટીમ પણ બનાવવામાં આવી છે’.

રિસર્ચનો વિષય
વાટલિયા પ્રજાપતિ સમાજ વૈજ્ઞાનિકો માટે રિસર્ચનો વિષય બન્યા છે. ઈમ્યુનોલોજી અને હીમટોલોજી રિસર્ચર ડો. એસ.આર. જોશીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, ’20 વર્ષ પહેલા સ્ટડી કરવામાં આવી હતી. જેમાં સમાજના 27 ટકા લોકો આ ઊણપથી પીડાઈ રહ્યા હોવાનું સામે આવ્યું હતું. વાટલિયા પ્રજાપતિ સમાજના લોકો હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગ સિવાય શિક્ષણ, મેડિકલ ક્ષેત્રમાં પણ કામ કરે છે’.

G6PD ડેફિસિયન્સી શું છે?
આ વારસામાં આવેલો જેનેટિક ડિસઓર્ડર છે, જે રેડ બ્લડ સેલ્સને અસર કરે છે. આ ડિસઓર્ડરથી પીડાઈ રહેલા લોકોમાં ગ્લુકોઝ-6 ફોસ્ફેટ ડિહાઇડ્રોજેનેસ (G6PD)ની ઉણપ હોય છે, જેનાથી રેડ બ્લડ સેલ્સ સમય કરતા પહેલા તૂટી જાય છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2YgP0n7

No comments:

Post a Comment

Pages