Latest

Friday, June 26, 2020

સસ્તું હેન્ડ સેનિટાઈઝર રુપિયા બચાવશે પણ શરીરને આ રીતે નુકસાન કરશે

સસ્તુ હેન્ડ સેનિટાઈઝર કરી શકે છે નુકસાન

આલ્કોહોલની એક સરખા માપની બોટલ પણ કંપની અલગ-અલગ હોવાથી તેના ભાવમાં પણ ફરક જોવા મળે છે ઘણાં હેન્ડ સેનિટાઝરની કિંમત એટલી ઓછી હોય છે કે ગ્રાહકના ચહેરા પર સ્મિત આવી જતી હોય છે પણ જો તમારી સાથે આવું થતું હોય તો ચેતી જવાની જરુરી છે. સસ્તાના ચક્કરમાં તમે પોતાને જ નુકસાન નથી પહોંચાડી રહ્યાને તે વાતનું ધ્યાન રાખવાની જરુર છે.

શરીરમાં આ બધી તકલીફો થાય છે

સસ્તા હેન્ડ સેનિટાઈઝરમાં આઈસોપ્રોપિલ (isopropyl)ના બદલે મેથેનોલ (Methanol)નો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે તેમાં મોસ્યુરાઈઝિંગ કમ્પોનન્ટ્સ પણ નથી હોતા જેના કારણે તેના ઉપયોગ અંગે સ્કીન સ્પેશિયાલિસ્ટ ચિંતા વ્યક્ત કરે છે. ડૉક્ટર જણાવે છે કે, આ પ્રકારના સસ્તા આલ્કોહોલના ઉપયોગથી ચામડી પર ખંજવાળ આવવી, ચાંઠા પડી જવા જેવી તકલીફો પણ થવા લાગે છે. ચામડીના ડૉક્ટર જણાવે છે કે, સસ્તા શંકાસ્પદ સેનિટાઈઝર, મુખ્યત્વે જેમાં કૃત્રિમ રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનો ઉપયોગ કરવાના બદલે સાબુથી હાથ ધોવા વધારે હિતાવહ છે.

શરીરમાં થાય છે આવી બધી તકલીફો

મેક્સ હેલ્થકેર હોસ્પિટલમાં ઈન્ટર્નલ મેડિકલ ડિપાર્ટમેન્ટના અસોસિએટ ડિરેક્ટર, ડૉક્ટર રોમ્મેલ ટિકૂ જણાવે છે કે, “મેથેનોલવાળા સેનિટાઈઝર અમેરિકામાં પણ ચિંતાનો વિષય બન્યો છે. મેથેનોલમાં રહેલું તત્વ નર્વસ સિસ્ટમ પર પણ અસર કરે છે, જેનાથી માથું દુખવું, ચક્કર આવવા, ઉલ્ટી થવી, પેટમાં દુખાવો થવો અને સુસ્તી અનુભવવી જેવી તકલીફ થાય છે.” ડૉ. ટિકૂ વધુમાં જણાવે છે કે, મેથેનોલ ફોર્મેલ્ડિહાઈડમાં કન્વર્ટ થાય છે એટલે કે તે શરીર માટે ઝેરી સાબિત થઈ શકે છે.

અમેરિકામાં પણ આ ચિંતાનો વિષય

એક અઠવાડિયા પહેલા યુએસ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને એડવાઈઝરી જાહેર કરીને જણાવ્યું છે કે, “મેથેનોલવાળું (લાકડામાંથી બનતું આલ્કોહોલ) સેનિટાઈઝર ઉપયોગમાં લેવાથી ચામડી અને શરીર માટે તે હાનિકારક સાબિત થાય છે.” નેશનલ મેડિકલ કાઉન્સિલ અને દિલ્હી મેડિકલ કાઉન્સિલના સભ્ય ડૉ. હર્ષ ગુપ્તા, જણાવે છે કે, “રિસર્ચ રિપોર્ટમાં જાણવા મળે છે કે 70% આઈસોપ્રોપાઈલ આલ્કોહોલ કોરોના વાયરસને મારે છે.” તેમણે જણાવ્યું કે, કેટલાક નફાના ચક્કરમાં પોતાની પ્રોડક્ટ્સ સાથે છેડછાડ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે જોખમ ઉભું કરી રહ્યા છે.

સ્કીન એલર્જીના કેસમાં વધારો થયો

રામ મનોહર લોહિયા હોસ્પિટલના સ્કીન સ્પેશિયાલિસ્ટ ડૉ. કબિર સરદાના જણાવે છે કે, ચામડીની તકલીફો લઈને આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. “હેલ્થકેર વર્કર્સ, દર્દી અને સામાન્ય વ્યક્તિ જેઓ રંગવાળા સેનિટાઈઝરનો ઉપયોગ કરે છે તેમનામાં ચામડીના રોગની સમસ્યા જોવા મળે છે.” તેમણે આગળ જણાવ્યું કે, “સાબુ, સેનિટાઈઝર, ભારે પાણી વગેરેનો વધારે પડતો ઉપયોગ કરવાના કારણે હાથની ચામડી સુકાઈ જાય છે અને તેના લીધે તકલીફો શરુ થાય છે.”



from Page Array – I Am Gujarat https://ift.tt/384AjH3

No comments:

Post a Comment

Pages