Latest

Sunday, June 7, 2020

આવતીકાલથી રાજ્યમાં આ શરતો સાથે ખુલશે ધાર્મિક સ્થાનો, પ્રસાદ કે ચરણામૃત નહીં આપી શકાય

સોમવારથી રાજ્યમાં ખુલશે ધાર્મિક સ્થાનો

ગાંધીનગરઃ ગુજરાત સરકારે શનિવારે નોન-કન્ટેનમેન્ટ ઝોનમાં મંદિરો, મસ્જિદો, ચર્ચ, દેરાસર અને ગુરુદ્વારા સહિતના ધાર્મિક સ્થળોને ફરીથી ખોલવા માટે મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. પરંતુ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ મુજબ દર્શનાર્થીઓને કેટલીક શરતોનું પાલન કરવા પર માત્ર દર્શન કરવાની જ અનુમતિ અપાશે.

CM રૂપાણીની ધાર્મિક સંસ્થાના વડાઓ સાથે કોન્ફરન્સ

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની ઉપસ્થિતિમાં ધાર્મિક સંસ્થાના વડાઓ, ટ્રસ્ટી, મહંતો, મૌલવીઓ, ચર્ચના પાદરીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ મીટિંગમાં દ્વારા આ નિર્ણય લેવાયો હતો. આ દરમિયાન મુખ્યમંત્રીએ તેમની પાસેથી પણ સૂચના માગ્યા હતા.

ધાર્મિક સ્થાનોએ કરવું પડશે નિયમનું પાલન

મંદિરના મેનેજમેન્ટ અને ઓર્ગેનાઈઝર્સે સેફ્ટીના પ્રોટોકોલનું પાલન થાય તેની ખાતરી કરવી પડશે. બે દર્શનાર્થીઓ વચ્ચે 6 ફૂટનું અતંર રાખવું, માસ્ક પહેરવું, મંદિરમાં આવતા સમયે ગેટ પર હાથને સેનિટાઈઝ કરવા સેનિટાઈઝર રાખવાનું રહેશે.

દર્શનાર્થીને અપાશે ટોકન

રૂપાણીએ કહ્યું, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે તેવી ધાર્મિક સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કાઉન્ટર શરૂ કરીને દરેક દર્શનાર્થીને અમુક ચોક્કસ કલાક માટેનું ટોકન આપવાનું રહેશે. રાજ્યમાં ઘણા દેરાસર અને ઉપાશ્રયો આવેલા છે તેમણે પણ સમય-સમય પર અપાતી ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે.

પ્રસાદ કે ચરણામૃત નહીં આપી શકાય

મુખ્યમંત્રીએ કહ્યું, મંદિરના સત્તાધિકારીઓએ ખાતરી કરવાની રહેશે કે, દર્શનાર્થીઓને પ્રસાદ, ચરણામૃત કે ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવાની અનુમતિ ન મળવી જોઈએ. ઉપરાંત દર્શનાર્થીઓએ બાળકો અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને સાથે ન લઈ જવા સૂચન કર્યું છે. રૂપાણીએ તમામ ધાર્મિક ગ્રુપોને વધુ બે મહિના સુધી કોઈ ધાર્મિક મેળો, ફંક્શન કે ઉત્સવ ન રાખવા અપીલ કરી છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/3f2kItR

No comments:

Post a Comment

Pages