પલક્કડ: કેરળના પલક્કડ જિલ્લામાં ગર્ભવતી હાથણીના મોત મામલે પોલીસને સફળતા મળી છે. પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. આ પહેલા તપાસ કરી રહેલી ટીમે 3 શકમંદોની અટકાયત કરીને તેમની પૂછપરછ કરી હતી. કેરળના મુખ્યમંત્રી પિનરાઈન વિજયનને કહ્યું હતું કે, આ ઘટનાના દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
કેરળના વન મંત્રી રાજુનું કહેવું છે કે, ગર્ભવતી હાથણીની હત્યા મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ તરફ મુખ્યમંત્રી પી. વિજયને કહ્યું કે, ઘટનાની તપાસ કરી રહેલી કેરળ પોલીસ અને વન વિભાગની ટીમે ઘટનાસ્થળની મુલાકાત કરી હતી અને પુરાવા એકત્ર કર્યા હતા. ન્યાય કામ કરશે અને દોષિતોને સજા મળશે.
One accused arrested, in connection with death of the pregnant elephant in Palakkad: Kerala Forest Minister K Raju
(file pic) pic.twitter.com/hz8AIMaHPX— ANI (@ANI) June 5, 2020
મહત્વનું છે હાથણીના મોતના મામલે આખા દેશના લોકોમાં નારાજગી હતી. મામલાની ગંભીરતાને જોતાં કેંદ્રએ પણ રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માગ્યો હતો. જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા પલક્કડમાં એક ગર્ભવતી હાથણીની વિસ્ફોટક ભરેલું પાઈનેપલ ખવડાવાયું હતું. જે તેના મોંમા ફાટ્યું હતું અને વેલિયાર નદીમાં હાથણીનું મોત થયું હતું.
આ તરફ હાથણીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવી ગયો છે. જેમાં ફેફસામાં પાણી ભરાઈ જવાના લીધે મોત થયું હોવાનો ઉલ્લેખ છે. તેના પોસ્ટમોર્ટમથી જ ખબર પડી હતી કે તે ગર્ભવતી હતી. પાણીમાં ડૂબી રહેવાને કારણે તેના શરીરની અંદર ખૂબ પાણી ભરાઈ ગયું હતું. જેના લીધે ફેફસાએ કામ કરવાનું બંધ કર્યું હતું. વન વિભાગના વરિષ્ઠ અધિકારીનું માનીએ તો, હાથણીએ વિસ્ફોટક ભરેલું પાઈનેપલ ખાતાં મોંમા વિસ્ફોટ થયો હતો અને તેનું જડબું તૂટી ગયું હતું.
from Page Array – I Am Gujarat https://ift.tt/2XzFM5e
No comments:
Post a Comment