Latest

Thursday, June 25, 2020

શું અમદાવાદને નજીકના ભવિષ્યમાં કોરોનાથી મુક્તિ મળશે? સતત કેસમાં નોંધાઈ રહ્યો છે ઘટાડો

અમદાવાદઃ શું કોરોના વાયરસથી અમદાવાદને ધીરે-ધીરે છૂટકારો મળી રહ્યો છે? રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રજૂ કરાયેલા આંકડા પ્રમાણે બુધવારે 57 દિવસ બાદ અમદાવાદ જિલ્લામાં સૌથી ઓછા 215 કેસ નોંધાયા છે.

ભારતના ટોપ-10 કોરોના હોટસ્પોટમાં અમદાવાદમાં કેસનો ઘટાડો નોંધાયો છે. કુલ કેસની સંખ્યામાં દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈ બાદ અમદાવાદ 19,601 કેસ સાથે ચોથા નંબર છે. જ્યારે મુંબઈ અને દિલ્હી બાદ મૃતકોની સંખ્યામાં અમદાવાદ ત્રીજા નંબર પર છે. અમદાવાદમાં કોરોના વાયરસના કારણે 1,378 લોકોના મોત થયા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

અમદાવાદમાં છેલ્લા 200ની રેન્જમાં કોરોના કેસ એપ્રિલના અંતમાં નોંધાયા હતા. જેમાં 29મી એપ્રિલના દિવસે 234 અને 30 એપ્રિલના દિવસે 249 કેસ નોંધાયા હતા. આ મે મહિનામાં દરરોજ 250થી વધુ કેસ સામે આવવા લાગ્યા. જ્યારે જૂનમાં 300ની ઉપર આંકડો પહોંચ્યો હતો. જોકે, પાછલા ત્રણ-ચાર દિવસમાં દરરોજ નોંધાતા કેસનો આંકડો 300ની અંદર આવી રહ્યો છે.

પાછલા 5 દિવસમાં જિલ્લામાં કુલ કુલમાં રાજ્યમાં 48% કેસ નોંધાયા છે, જેની ટકાવારી જૂનની શરુઆતમાં (1થી 5 તારીખમાં) 64.4% હતી, જ્યારે મહિનાની મધ્યમાં (જૂન 13-17) દરમિયાન 64.5% હતી. જૂન મહિના દરમિયાન જિલ્લામાંથી નોંધાયેલા કેસની ટકાવારી 60.8% રહી છે. જ્યારે માર્ચ 31%, એપ્રિલમાં 69.5% અને મેમાં 73.8% રહી હતી. જ્યારે રાજ્યમાં નોંધાયેલા કુલ કેસમાંથી વડોદરાના કેસની ટકાવારી 7.7% છે, જે પાછલા પાંચ દિવસમાં 7.8% રહી છે. જ્યારે સુરતમાં વધારો નોંધાયો છે. સુરતમાં કેસની ટકાવારી જૂન 1-5 વચ્ચેની ટકાવારી 13.8% રહી હતી, જ્યારે પાછલા 5 દિવસની ટકાવારી 23.7% થઈ છે.

આ ગણતરીમાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે, કેસના ઉછાળા આ ત્રણ શહેરો (અમદાવાદ, સુરત અને વડોદરા)માં ઘટાડો નોંધાયો છે. આ ત્રણ જિલ્લાના કેસની ટકાવારી પર નજર કરીએ તો તે જૂનની શરુઆતમાં 86% હતી તે પાછલા 5 દિવસમાં ઘટાડા સાથે 79.3% પર પહોંચી છે.

અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ (AHNA)ના પ્રેસિડેન્ટ ડૉ. ભરત ગઢવી જણાવે છે કે, હોસ્પિટલમાં દાખલ થયેલા એક્ટિવ કેસમાં ચોક્કસ પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. તેમણે જણાવ્યું કે, AMC કોટામાં આવતી ANHA-એફિલેટેડ હોસ્ટિલમાં લગભગ 30-40% બેડ ખાલી છે.

જ્યારે રાજ્યમાં રોજના રેકોર્ડ 550 કરતા વધુ કેસ નોંધાઈ રહ્યા છે. બુધવારે નોંધાયેલા વધુ 572 નવા કેસ સાથે કુલ આંકડો 29,000ને પાર કરી ગયો છે. જ્યારે 25 લોકોના મોત નોંધાયા છે. આ સાથે વધુ 575 લોકોને હોસ્પિટલમાંથી રજા મળવાની સાથે કુલ સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 21,096 થઈ છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/3hXqAHf

No comments:

Post a Comment

Pages