Latest

Saturday, June 27, 2020

ઉદ્યોગ-ધંધાઓ શરૂ થતા બિહાર-યુપીથી આવતી ટ્રેનો ફુલ, પરત ફરી રહ્યા છે પ્રવાસી મજૂરો

દિપક દાસ, નવી દિલ્હી: કોરોના લોકડાઉનને કારણે મોટી સંખ્યામાં દેશભરના પ્રવાસી મજૂરો પોતાના વતન જતા રહ્યા હતા. જોકે, હવે અનલોક-1 જાહેર થયા બાદ ધીમે-ધીમે દેશભરમાં મોટાભાગના ઉદ્યોગ-ધંધા, દુકાનો, કારખાના, મૉલ્સ, હોટલ અને રેસ્ટોરન્ટ સહિતના એકમો ખુલી ગયા હોવાથી વતન ગયેલા પરપ્રાતિંય મજૂરો, કામદારોને પરત બોલાવવામાં આવી રહ્યા છે. જેને કારણે યુપી અને બિહાર જેવા રાજ્યોથી પ્રવાસી મજૂરો રોજગાર અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે દેશભરના શહેરોમાં પરત ફરી રહ્યા હોવાથી બિહાર અને યુપીથી ઉપડતી માટોભાગની ટ્રેનો ફુલ છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના સમયગાળા દરમિયાન સરકાર દ્વારા સ્પેશિયલ શ્રમિક ટ્રેનોમાં ગુજરાત સહિત દેશભરના પ્રવાસી મજૂરોને તેમના વતન મોકલવામાં આવ્યા હતા.રેલ્વે મંત્રાલયના આંકડા દર્શાવે છે કે 26 જૂનથી 30 જૂન સુધી ટ્રેનોની રિઝર્વેશન 100 ટકા હતું, જ્યારે વેઇટિંગ લિસ્ટમાં પણ વધુ લોકો હતા, જે દર્શાવે છે કે અંતરિયાળ ભાગમાં તેમના વતન ગયેલા સ્થળાંતર કામદારો દેશભરના શહેરોમાં પરત ફરી રહ્યા છે. ડેટા બતાવે છે કે ડાઉન રૂટ્સ પર ઓછામાં ઓછી 64 ટ્રેનો સંપૂર્ણ બુક કરવામાં આવી હતી અને અન્ય 11 ટ્રેનોમાં 90% થી વધુ બુકિંગ હતા. જોકે, યુપી અને બિહાર જેવા રાજ્યોએ નોકરીઓ આપવા માટે મનરેગા યોજનાઓનો વ્યાપ વધાર્યો હતો અને કેન્દ્ર દ્વારા નિ:શુલ્ક પીડીએસ અનાજ આપવાનું ચાલુ રાખ્યું હતું. જેથી ઘણા લોકોએ અપેક્ષા રાખી હતી કે વાયરસનો અસર ઓછો થાય ત્યાં સુધી ઘરમાં સલામત રહી શકાય છે.

શુક્રવારે માત્ર 2 શ્રમિક સ્પેશિયલ ટ્રેન દેશમાં દોડી હતી. જે કોરોના લોકડાઉન દરમિયાન દોડાવવામાં આવેલ આ સ્પેશિયલ ટ્રેન માટે એક દિવસનો સૌથી ઓછો આંકડો હતો. હાલના દિવસોમાં આ નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. રેલ્વે બોર્ડના અધ્યક્ષ વી કે યાદવે કહ્યું કે તેમની પાસે આવી સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની રાજ્યોની કોઈ માંગ બાકી નથી. તેમ છતાં તેમણે કહ્યું હતું કે જો રાજ્ય દ્વારા માંગ કરવામાં આવે તો રેલવે 24 કલાકમાં આવી ટ્રેનો તૈનાત કરી શકે છે. જોકે, સૂત્રોએ જણાવ્યું હતું કે હવે ત્યાં કોઈ નિયમિત શ્રમિક સ્પેશિયલ નહીં આવે. ઉલ્લેખનીય છે કે, પાછલા 57 દિવસોમાં આવી 4594 ટ્રેનો દ્વારા 62.8 લાખથી વધુ ફસાયેલા સ્થળાંતર કામદારોને પરત ઘરે મોકલવામાં આવ્યા છે.

શું કોઈ પણ રાજ્યએ સ્થળાંતર કામદારોને મોટા શહેરોમાં પાછા ફરવા માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેનોની વિનંતી કરી હતી? તેવા એક પ્રશ્નના જવાબમાં યાદવે કહ્યું કે હાલમાં, લોકો તેમના કાર્યસ્થળ પર પાછા ફરવા માટે સ્પેશિયલ મેલ / એક્સપ્રેસ ટ્રેનો લઈ રહ્યા છે. જો રાજ્યો દ્વારા માંગ કરવામાં આવશે તો રેલવે 24 કલાકમાં આવી આવી ટ્રેનો તૈનાત કરી શકે છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/3eGlg99

No comments:

Post a Comment

Pages