નિમેષ ખાખરીયા, રાજકોટઃ ‘આ બાળક કેવી રીતે શ્વાસ લઈ રહ્યું છે?’, જામનગરના અગિયાર મહિનાના બાળકનું CT સ્કેન કર્યા બાદ આવેલા રિપોર્ટ જોઈને ડોક્ટરોએ આવી પ્રતિક્રિયા આપી હતી. કારણ કે બાળક 3 મહિનાનું હતું ત્યારથી રેર એલર્જિક અસ્થમા, બ્રોન્કોપલ્મોનરી એસ્પર્ગીલોસિસ (ABPA)થી પીડાઈ રહ્યું છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
જો કે, હવે ડોક્ટરોનું કહેવું છે કે રાઘવ ચંદ્રાના શરીરમાં દવાઓ અસર કરી રહી છે અને તેને ધીમે-ધીમે બેચેનીમાંથી રાહત મળી રહી છે. જેના કારણે તે છેલ્લા છ મહિનાથી સરખી રીતે ઊંઘી શકતો નહોતો અને ચીડચીડિયો થઈ ગયો હતો.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, આ એક પ્રકારની એલર્જિક બીમારી છે, અને તે નાના બાળકોમાં ખૂબ જ ભાગ્યે જોવા મળે છે. જે મુખ્યત્વે ઘરની અંદર રહેલા ભેજના કારણે ફેફસામાં ફંગસના વિકાસનું કારણ બને છે. આ આમ તો વારસાગત બીમારી છે, ત્યારે આ ઉંમરનો બાળક આ બીમારીથી પીડાતો હોય તેવો રેર કેસ છે.
રાઘવ ત્રણ મહિનાનો હતો ત્યારથી તેને ઉધરસ થવાની શરૂઆત થઈ હતી. જેના કારણે તે ઊંઘી પણ શકતો નહોતો આટલું જ નહીં તેની માતા તેને ફીડિંગ પણ કરાવી શકતી નહોતી. ઘણી વખત તો તે ઉલ્ટી કરી દેતો હતો.
રાઘવના માતા-પિતાએ તે ઉધરસ ખાતો હોય તેવો વીડિયો પણ રેકોર્ડ પણ કર્યો હતો, જેનાથી ડોક્ટરો તેની ચોક્કસ સ્થિતિ વિશે જાણી શકે.
રાઘવના પિતા RTO એજન્ટ તરીકે કામ કરે છે, તેઓ તેને લઈને અમદાવાદ આવ્યા હતા. પરંતુ ડોક્ટરો તેમની સમસ્યાનું નિદાન કરી શક્યા નહીં. બાદમાં તેને જામનગરના પીડિયાટ્રિશન ડો.કમલેશ શાહ પાસે લઈ જવાયો હતો. જેમણે આ કેસનો જોયો અને બાદમાં બાળકને જી.જી. હોસ્પિટલના પલ્મનરી મેડિસિન ડિપાર્ટમેન્ટમાં રેફર કર્યો.
પલ્મનરી મેડિસિન ડિપાર્ટમેન્ટના હેડ ડો. ફિરોઝ ઘાંચીએ અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, ‘અમે બાળકનું CT સ્કેન કર્યું અને રિઝલ્ટ જોઈને અમારો જીવ અધ્ધર થઈ ગયો હતો. બાળકના ફેફસાની બંને બાજુની નળીઓ બ્લોક થઈ ગઈ હતી અને આ એક ગંભીર અસ્થમાનો કેસ હતો’
ડોક્ટરે કહ્યું કે, અસ્થમા વારસાગત બીમારી છે, પરંતુ આ બાળકમાં ખૂબ જ નાની ઉંમરમાં જોવા મળી રહી છે. 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આ બીમારી ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ આ કેસમાં તો બાળક છ મહિનાનો નહોતો ત્યારથી છે, તેમ ડો.ઘાંચીએ જણાવ્યું.
ડોક્ટરોના કહેવા પ્રમાણે આ ફંગલ ગ્રોથ છે, જે અસ્થમાના એક ટકા દર્દીઓમાં જોવા મળે છે, પરંતુ બાળકોમાં ખૂબ જ અસામાન્ય છે. ડોક્ટરોએ ABPAની સારવાર કરવાનું શરૂ કરી દીધું છે અને સૌથી સારી વાત એ છે કે બે અઠવાડિયાની અંદર તેમને રિઝલ્ટ મળવાનું પણ શરૂ થઈ ગયું છે.
‘ફંગસ એલર્જીના કારણે તેની શ્વાસનળીમાં સોજો હતો, જે ન્યૂમોનિયા જેવો હતો. જે આનુવંશિક રીતે એલર્જિક વૃતિ અને ઘરની અંદરના ભેજ અથવા પક્ષીની ચરકના કારણે થાય છે’, તેમ ડોક્ટરે વધુમાં જણાવ્યું.
રાઘવની માતા વૈશાલીએ જણાવ્યું હતું કે, તેમના દીકરાને ટીબી હોવાનો તેમને ડર હતો, પરંતુ અમદાવાદની એક લેબમાં કરાવેલા રિપોર્ટના કારણે તેમનો ડર દૂર થયો હતો. ‘હવે અમને જાણ થઈ કે આ એલર્જીના કારણે છે. ડોક્ટરોનું કહેવું છે કે, જ્યાં સુધી તે પાંચ વર્ષનો નહીં થાય ત્યાં સુધી ચોક્કસ રીતે કઈ કહી શકાય નહીં’, તેમ તેણે કહ્યું.
ABPAના લક્ષણોઃ
– સતત ઉધરસ આવવી
– કફની સાથે ઘણીવાર લોહીનું આવવું
– શ્વાસ લેવામાં તકલીફ
-છાતીમાં દુઃખાવો અથવા ભીંસ થવી
– ચક્કર આવવા અને તાવ
from Page Array – I Am Gujarat https://ift.tt/2YCuhuv
No comments:
Post a Comment