અમદાવાદ: બાપુનગરમાં એક સગીર વયની છોકરીએ આત્મહત્યા કરી લીધી. માતાએ વધુ એક દીકરીને જન્મ આપતાં નિરાશ થયેલી સગીરાએ અંતિમ પગલું ભર્યું. 15 વર્ષીય છોકરીએ ગુરુવારે જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, છોકરીની માતાએ ગુરુવારે ચોથી દીકરીને જન્મ આપ્યો હતો. જ્યારે ધોરણ 8માં અભ્યાસ કરતી આ છોકરીને ભાઈની આશા હતી.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
છોકરીના પિતાના જણાવ્યા અનુસાર, તે દશામાની ભક્ત હતી. છોકરીએ તેની ગર્ભવતી મમ્મીને કહ્યું હતું કે, આ વખતે તેની કૂખેથી ચોક્કસ દીકરાનો જન્મ થશે. ગુરુવારે તેની મમ્મીને પ્રસૂતિ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ ત્યારે છોકરીને તેના કાકાના ઘરે મોકલવામાં આવી હતી. ત્યાં જઈને દશામાની મૂર્તિ પાસે બેસીને ભાઈ જન્મે તેની પ્રાર્થના કરતી હતી.
પોલીસે કહ્યું, “જો કે, સમાચાર આવ્યા કે વધુ એક દીકરીનો જન્મ થયો છે. આ સાંભળીને છોકરી ખૂબ હતાશ થઈ હતી.” બાદમાં છોકરી બાથરૂમ જઈને આવું છે તેમ કહીને ગઈ હતી. પરંતુ તેણે રસોડામાં જઈને સાડીનો ફંદો બનાવીને આપઘાત કરી લીધો હતો. થોડા જ સમયમાં તેના કાકાની નજર રસોડામાં લટકતા તેના શરીર પર પડી. પોલીસે કહ્યું, “પરિવાર આ જોઈને ચોંકી ગયો હતો. એક નવા જીવે જન્મ લીધો અને એ જ સમયે બીજાએ દેહ છોડ્યો.”
પોલીસના મતે, આત્મહત્યામાં બીજી કોઈ બાબત શંકાસ્પદ ના લાગતા પોસ્ટમોર્ટમ બાદ છોકરીનો મૃતદેહ પરિવારને સોંપી દેવાયો હતો. પોલીસે કહ્યું, “જ્યારે નવી જન્મેલી બાળકી સાથે માતા હોસ્પિટલમાં હતી ત્યારે તેની સૌથી મોટી દીકરીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. માતાને દીકરીના મોતના સમાચાર આપવામાં આવ્યા છે કે નહીં તેની માહિતી નથી.” બાપુનગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એન. કે. વ્યાસે કહ્યું, “અમે આકસ્મિક મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.”
from Page Array – I Am Gujarat https://ift.tt/3emuiau
No comments:
Post a Comment