આ વખતે શ્રાવણ મહિનામાં નહીં થાય મેળો
અમદાવાદઃ કોરોના વાયરસની મહમારીના પગલે આ વર્ષે શ્રાવણ અને ભાદરવા માસ દરમિયાન રાજયમાં થતાં લોકમેળા નહીં યોજાય. કેંદ્ર સરકારે મહામારીના પગલે ભીડ થાય તેવા તહેવારો ઉજવણી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે કેંદ્રની ગાઈડલાઈન્સને ધ્યાન પર રાખી આ વર્ષે રાજય સરકાર સૌરાષ્ટ્ર સહિત રાજયના અન્ય વિસ્તારોમાં યોજાતા લોકમેળાને મંજૂરી નહીં આપે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
શિવાલયોમાં પણ મહાપૂજા પર લાગી શકે છે પ્રતિબંધ
કોરોનાને કારણે આ વખતે શ્રાવણ માસ દરમિયાન સાતમ-આઠમના, દિવાસાના કે શિવાલયોમાં ભરાતાં સોમવારના મેળા નહીં યોજી શકાય. ગુજરાત સરકાર ખૂબ ટૂંક સમયમાં આ માટેનો નિર્ણય જાહેર કરશે. આ ઉપરાંત મંદિર-મહાદેવમાં થતી સમૂહપૂજા પર ખાસ મનાઇ રહેશે.
ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેળાનું હોય છે આગવું આકર્ષણ
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં ખાસ કરી રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી સહિતના શહેરોમાં લોકમેળાનું આયોજન થાય છે. સાતમ આઠમ નોમના તહેવાર દિવસે યોજાતા લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો સામેલ થતા હોય છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/3eg6VPK
No comments:
Post a Comment