Latest

Thursday, July 23, 2020

અ’વાદ રેલવે સ્ટેશન પર સેનિટાઈઝિંગ અને લગેજ રેપિંગ મશીન લગાવાયું, ચૂકવવો પડશે આટલો ચાર્જ

ભારતીય રેલવેની અનોખી પહેલ

અમદાવાદ: કોરોનાને અટકાવવા માટે રેલવેમાં મુસાફરી કરતા યાત્રીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અનેક પગલા લેવાઈ રહ્યા છે. ત્યારે પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પર ભારતનું પહેલું લગેજ સેનિટાઈઝિંગ અને લગેજ રેપિંગ મશીન મૂકવામાં આવ્યું છે. કોરોના રોગચાળા સમયે કેન્દ્રીય ગૃહ અને આરોગ્ય મંત્રાલયે જારી કરેલી માર્ગદર્શિકા હેઠળ અમદાવાદ રેલવે દ્વારા કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે મુસાફરોના સામાનને સેનેટાઇઝ અને વાયરસ મુક્ત કરવા માટે અમદાવાદ સ્ટેશન પર સેનિટાઈઝ અને સેનિટાઈઝ રેપિંગ મશીન લગાવી દીધું છે.

લગેજને વાયરસ મૂક્ત કરાશે

રેલવે DRM દીપક કુમાર ઝાના જણાવ્યા મુજબ આ મશીન 360 ડિગ્રી અલ્ટ્રાવાયોલેટ આધારિત પદ્ધતિના આધારે કાર્ય કરશે. કેમિકલ સેનિટાઈઝેશનના માધ્યમથી સામાનને થતા નુકસાનને પણ બચાવી શકાશે. આમાં, સેનિટાઈઝેશન માટે લોંગલાઇફ યુવી લેમ્પ્સનો ઉપયોગ કરવામાં આવે છે. જેના દ્વારા ટિફિન, ખોરાક, શાકભાજી અને પાણી વગેરેને પણ વાયરસ મુક્ત બનાવી શકાય છે. ભારતીય રેલવેની અનોખી પહેલ હેઠળ આ એક રેલ્વે પ્રોજેક્ટ છે. જે દેશમાં સૌપ્રથમ અમદાવાદ રેલવે સ્ટેશન પર સ્થાપવામાં આવી છે.

આ રીતે રેપિંગ કરાશે લગેજ

મીડિયા રિપોર્ટ મુજબ અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1નાં એન્ટ્રી ગેટ ખાતે ખાનગી કંપનીએ લગેજ સેનિટાઈઝેશન એન્ડ રેપિંગ મશીન લગાવ્યું છે. પેસેન્જરો લગેજને આ મશીનની મદદથી અલ્ટ્રા વાયોલેટ કિરણોથી સેનિટાઈઝ કરવાની સાથે તેઓ પોતાના લગેજને પોલિથિનનું પેકિંગ કરાવી શકશે. જેના માટે તેઓએ 80 રૂપિયા સુધીનો ચાર્જ ચૂકવવો પડશે.

વજન મુજબ ચૂકવવો પડશે ચાર્જ

પ્રતિકાત્મક તસવીર

* સેનિટાઈઝિંગ
10 કિલો- 10 રૂપિયા
25 કિલો- 15 રૂપિયા
25 કિલોથી વધારે- 20 રૂપિયા

* રેપિંગ અને સેનિટાઈઝિંગ
10 કિલો- 60 રૂપિયા
25 કિલો- 70 રૂપિયા
25 કિલોથી વધારે- 80 રુપિયા



from Page Array – I Am Gujarat https://ift.tt/3hyHdrX

No comments:

Post a Comment

Pages