સુશાંતના મોતથી સૌ કોઈ આઘાતમાં
સુશાંત સિંહ રાજપૂતના નિધનને એક મહિનો થવા આવ્યો છે. એક્ટરે આમ અચાનક દુનિયાને અલવિદા કહેતા તેનો પરિવાર, તેના મિત્રો અને તેના ફેન્સ આઘાતમાં છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
અંકિતાના BFએ ઉઠાવ્યું આ પગલું
સુશાંતમાં મોત બાદ તેની એક્સ-ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે સતત ચર્ચામાં છે. એક્ટરની અંતિમક્રિયા થઈ તેના બીજા દિવસે તે તેના પરિવારને મળવા માટે બાંદ્રા સ્થિત એપાર્ટમેન્ટ પર પણ ગઈ હતી. હાલમાં, સામે આવ્યું છે કે, અંકિતાના બોયફ્રેન્ડ વિકી જૈને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં કોમેન્ટ સેક્શન ઓફ કરી દીધું છે, તેનો મતલબ એ છે કે હવે કોઈ તેની પોસ્ટ પર કોમેન્ટ કરી શકશે નહીં.
લોકોએ કરી ખરાબ કોમેન્ટ
આમ જોવા જઈએ તો વિકી સોશિયલ મીડિયા પર એટલો એક્ટિવ નથી પરંતુ તેની પ્રોફાઈલ પર કેટલાક યૂઝર્સે ખૂબ જ ખરાબ કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. એકે લખ્યું હતું કે, ‘અંકિતાને છોડી દે’, તો અન્ય યૂઝરે લખ્યું હતું કે, ‘તું અંકિતાને લાયક નથી’.
કેટલાક યૂઝર્સ સપોર્ટમાં આવ્યા
જો કે, કેટલાક ફોલોઅર્સ તેના સપોર્ટમાં પણ આવ્યા હતા અને આવી નેગેટિવ કોમેન્ટ ન કરવાનું કહ્યું હતું. અંકિતા અને વિકી છેલ્લા ઘણા સમયથી સાથે છે અને સોશિયલ મીડિયા પર એકબીજાની તસવીરો પણ શેર કરતાં રહે છે.
છેલ્લા ઘણા સમયથી સાથે છે અંકિતા-વિકી
અમારા સહયોગી બોમ્બે ટાઈમ્સ સાથેના થ્રોબેક ઈન્ટરવ્યૂમાં અંકિતાએ તે વિકીના પ્રેમમાં હોવાની વાત સ્વીકારી હતી. તેણે કહ્યું હતું કે, ‘તે ખૂબ સારો વ્યક્તિ છે. તે બિલાસપુરનો બિઝનેસમેન છે. હા હું તેના પ્રેમમાં થું અને જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે હું તમને મેરેજના પ્લાન વિશે પણ જણાવીશ’.
from Page Array – I Am Gujarat https://ift.tt/3eeblqc
No comments:
Post a Comment