Thursday, July 9, 2020

કાનપુર એન્કાઉન્ટરઃ 8 પોલીસકર્મીની હત્યા કરનાર ગેંગસ્ટર વિકાસ દુબે ઉજ્જૈનથી પકડાયો

કાનપુર એન્કાઉન્ટરમાં આઠ પોલીસકર્મીઓની હત્યાનો માસ્ટરમાઈન્ડ વિકાસ દુબે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાંથી પકડાયો છે. યુપી અધિકારીઓએ મીડિયા સાથે વાત કરતા આ વાતની પુષ્ટિ કરી હતી. ઉજ્જૈનના મહાકાલ મંદિર પોલીસ સ્ટેશનમાં વિકાસ દુબેએ આત્મસમર્પણ કર્યું છે. હાલમાં ઉજ્જૈનના ફ્રીગંજ પોલીસ સ્ટેશનથી તેને કોઈ અજાણી જગ્યાએ લઈ જવાઈ રહ્યો છે. હવે યુપી પોલીસની એક ટીમ પણ ઉજ્જૈન માટે રવાના થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે વિકાસને છેલ્લે બુધવારે ફરિદાબાદમાં જોવાયો હતો. પરંતુ તે ઉજ્જૈન કેવી રીતે પહોંચ્યો તેની પૂછપરછ કરાઈ રહ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

સૂત્રો મુજબ, વિકાસ દુબે મહાકાલના મંદિરમાં પહોંચ્યો હતો અને અહીં તેણે જાતે જ બૂમો પાડી કે તે વિકાસ દુબે છે. તેણે પકડી લેવામાં આવ્યો. આ બાદ મહાકાલ મંદિરની સુરક્ષામાં તૈનાત પ્રાઈવેટ એજન્સીના ગાર્ડોએ તેને પકડ્યો અને પોલીસને ખબર કરાઈ. તેને મહાકાલ મંદિર પહેલા મહાકાલ પોલીસ સ્ટેશને લઈ જવાયો. આ બાદ કોઈ અન્ય સ્થળે પૂછપરછ માટે લઈ જવાની ખબર સામે આવી છે.

ઉજ્જૈનના કલેક્ટર આશિષ સિંહે કહ્યું, વિકાસ દુબે ઉજ્જૈન મહાકાલ મંદિરમાં જઈ રહ્યો હતો ત્યારે સિક્યોરિટીએ તેને ઓળખી લીધો હતો. આ બાદ પોલીસને જાણ કરવામાં આવી, પૂછવા પર તેણે પોતાની ઓળખ સ્વીકારી લીધી હતી. તેને પોલીસને સોંપી દેવામાં આવ્યો છે અને પૂછપરછ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે પોલીસે આ પહેલા વિકાસના ભત્રીજા અને તેના બોડીગાર્ડ કહેવાતા ગેંગસ્ટર અમર દુબેને પણ બુધવારે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો. આ પહેલા વિકાસના કાકાને પણ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કરાયા હતા. એવામાં પહેલાથી જ એવી રિપોર્ટ્સ આવી રહી હતી કે વિકાસ દુબે એન્કાઉન્ટરના ડરથી આત્મસમર્પણ કરી શકે છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/3feSQ6j

No comments:

Post a Comment

Pages