Thursday, July 23, 2020

બોપલમાંથી કચરાના ડુંગર વર્ષના અંત સુધીમાં થઈ જશે ગાયબ

આ છે બોપલનો પિરાણા

હિમાંશ કૌશિક, અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી હદમાં બોપલનો સમાવેશ થયા બાદ AMCએ બોપલ GEB સ્ટેશનની નજકી આવેલ કચરાના ડુંગરને આ વર્ષના અંત સુધીમાં દૂર કરવાનું નક્કી કર્યું છે. કોર્પોરેશનના અધિકારીઓનું કહેવું છે કે આ વિસ્તાર વ્યવાસાયીક શક્યાતાઓ ધરાવે છે. 6 એકરનો આ પ્લોટ રુ. 100થી રુ. 150 કરોડ જેટલી માતબર રકમ કોર્પોરેશનને અપાવી શકે છે. કેમ કે અહીં નજીકમાં જ ઇસરોનું ગેસ્ટ હાઉસ, અનેક રેસિડેન્શિયલ કોલોની અને સ્કૂલ આવેલી છે.

AMCએ કચરાના ડુંગરને દૂર કરવા કમર કસી

5

આ કારણે કોર્પોરેશને નિર્ણય લીધો છે કે આ જગ્યાએ રહેલા 3 લાખ ટન કચરાને દૂર કરીને પ્લોટને કચરા મુક્ત કરવામાં આવશે. આ માટે કોર્પોરેશન બાયો માઇનિંગ પ્રોજેક્ટ અંતર્ગત તમામ કચરાનો નિકાલ કરશે. આગામી 15 દિવસમાં જ આ જગ્યાને સમતળ કરી દેવામાં આવશે જેથી પ્રોજેક્ટ શરું કરી શકાય અને જલ્દીથી કચરાના ઢગલાને દૂર કરી શકાય. કચરાનો ડુંગર દૂર થતા જ આ વિસ્તારમાં જમીનના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે.

આ જગ્યાને વ્યાવસાયિક કિંમત ખૂબ ઊંચી

waste

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ જગ્યાએ 3 ટ્રોમેલ મશિનનો ઉપયોગ કરવાની વિચારણા કરી રહી છે. જેથી આગામી વર્ષના પ્રારંભ સુધીમાં બોપલમાં આવેલ આ કચરાનો ડુંગર સંપૂર્ણપણે નિકાલ કરી શકાશે. મહત્વનું છે કે આ ડમ્પિંગ યાર્ડમાં આજુબાજુના વિસ્તારમાંથી સતત કચરો ઠલવાતો હોવાથી કચરાનો ડુંગર 8 ફૂટ જેટલો ઉંચો બની ગયો હતો. જોકે થોડા મહિના પહેલા અહીં કચરાનું રિસાયકલિંગ અને નિકલા કરવા માટે એક ટ્રોમેલ મશિન મુકવામાં આવ્યું હતું જેની મદદથી આ ડુંગરને 8 ફૂટથી 4 ફૂટ સુધી લાવવામાં સફળતા મળી છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/3fTqUFD

No comments:

Post a Comment

Pages