Latest

Sunday, July 12, 2020

Covid-19: દુનિયામાં નવા નોંધાતા કોરોના કેસમાં ભારતની ટકાવારી 12%

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના કેસનો આંકડો 8.5 લાખને પાર થઈ ગયો છે, 8 લાખ પર પહોંચતાની સાથે એક નવો રેકોર્ડ નોંધાયો છે. શનિવારે 29,000 જેટલા નવા કેસ દેશમાં નોંધાયા છે. જ્યારે 540 લોકોના મોત નોંધાયા છે. આ મૃત્યુઆંક બીજા નંબરનો સૌથી મોટ આંકડો છે, આ પહેલા જે બાકી રહી ગયા હતા તે કેસની ગણતરી થતા એક દિવસમાં 2,003 મૃત્યુઆંક 16 જુનના રોજ નોંધાયા હતા.

દુનિયાભરમાં નોંધાતાના કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં દેશમાં નોંધાયેલા કેસની ટકાવારી 12% છે. આ ટકવારી શુક્રવારે 11.8% હતી, જ્યારે દુનિયાભરમાં વર્લ્ડોમીટર.ઈન્ફો વેબસાઈટ મુજબ દુનિયામાં 2.37 લાખ જેટલા કેસ નોંધાયા છે.


બિગ બીએ ‘કોરોના વોરિયર્સ’નો માન્યો હતો આભાર, કર્યો હતો સુરતનો ઉલ્લેખ

જુન મહિનાની શરુઆત પછી દુનિયામાં નોંધાતા કેસમાં ભારતની ટકાવારીમાં વધારો થઈ રહ્યો છે. જોકે, દુનિયાની વસ્તીના પ્રમાણમાં આ આંકડો નીચો છે.

રાજ્યો પાસેથી કેન્દ્રએ મેળવેલા આંકડા પ્રમાણે ભારતમાં શનિવારે વધુ 28,998 પોઝિટિવ કેસ નોંધાયા જે 29,000 થવામાં માત્ર 2 ઓછા છે. ભારતમાં કોરોના કુલ કેસનો આંકડો 8,50,052 થઈ ગયો છે, જ્યારે 22,664 લોકોના મોત થઈ ગયા છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2C1oRAA

No comments:

Post a Comment

Pages