Latest

Thursday, May 23, 2019

લગ્નના 5 મહિના બાદ પ્રિયંકા ચોપરાનો ખુલાસો, કહ્યું ‘નિકની આ વાતથી થયો હતો પ્રેમ’

બોલિવુડનું હોટ કપલ છે પ્રિયંકા-નિક

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ હંમેશા સતત સમાચારમાં છવાયેલા રહે છે. જ્યારે લોકો આ કપલને જુએ છે ત્યારે તેમની નજર તેમના પર જ ચોંટી જાય છે. 2019ના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યારે પ્રિયંકા અને નિકે હાથમાં હાથ નાખી એન્ટ્રી કરી તો દરેક વ્યક્તિ તેને જોતી જ રહી ગઈ.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

પ્રિયંકાએ કર્યો ખુલાસો

આ કપલ ઘણીવાર પોતાના સંબંધને લઈને વાત કરતા જોવા મળે છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનસે ગયા વર્ષના ડિસેમ્બરમાં લગ્ન કર્યા હતા. પ્રિયંકાએ લગ્નના આટલા મહિના બાદ ખુલાસો કર્યો છે કે કઈ વાતથી તેને નિક સાથે પ્રેમ થઈ ગયો હતો.

આ વાતથી નિક સાથે થયો પ્રેમ

હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં પ્રિયંકા ચોપરાએ ખુલાસો કર્યો છે કે નિક જોનસ સાથે લગ્ન કરવાની સૌથી સારી વાત એ છે કે તે સમજે છે કે અમારી જે કરિયર છે, તેનું શું મહત્વ છે. નિકનું કરિયર મારા કરિયર કરતાં લાંબુ છે. નિક જાણે છે કે તેણે અને તેના પરિવારે કરિયર માટે કેટલો ત્યાગ આપ્યો છે. પ્રિયંકાએ કહ્યું કે આ વાત જાણીને મને તેનાથી પ્રેમ થઈ ગયો હતો.

નિકે પ્રિયંકાને શું કહ્યું?

પ્રિયંકાએ તે વાતની ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તે અને તેના મિત્ર એક જરૂર મીટિંગ માટે લોસ એન્જલસમાં હતા. આ મીટિંગમાં ભારત અને અમેરિકાના લોકો હાજર રહ્યા હતા. તેણે કહ્યું કે નિક સાથે તેની આ બીજી અથવા ત્રીજી મીટિંગ હતી. પ્રિયંકાએ આગળ જણાવ્યું કે ફ્રેન્ડ્સ સાથે તે યાદગાર પળ હતી. હું આ મીટિંગ કેન્સલ કરવા માગતી હતી. આ વચ્ચે નિક મને દરિયાકિનારે લઈ ગયો અને કહ્યું કે હું સમજું છું કે તું જ્યાં છે ત્યાં પહોંચવા માટે તે કેટલું કામ કર્યું છે. નિકે પ્રિયંકાને કહ્યું કે હું મારા ફ્રેન્ડ્સ સાથે ડિનર માટે જઈ રહ્યો છું, તમે કામ ખત્મ કરી લો. તે બાદ ફરી અમને જોઈન કરી લેજે. આ દરમિયાન મને જાણ થઈ કે તે મારૂં કેટલું ધ્યાન રાખે છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2JzeXZe

No comments:

Post a Comment

Pages