Latest

Wednesday, May 22, 2019

વિવેક ઓબેરોયના ઐશ્વર્યા અંગેના ટ્વીટ પર શું કહ્યું સલમાન ખાને? જાણો

મીમ પર થઈ હતી બબાલ

વિવેક ઓબેરોયે ઐશ્વર્યા રાય પર શૅર કરેલા મીમ પર ખૂબ જ બબાલ થઈ ચૂકી છે. આ મીમમાં ઐશ્વર્યાની પર્સનલ લાઈફને ટાર્ગેટ કરવામાં આવી હતી. જે ટ્વીટ પછી માત્ર ટ્વીટર યૂઝર્સે જ નહીં પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોએ પણ વિવેક ઓબેરોયની આકરી ટીકા કરી હતી. જોકે, હવે વિવેકે આ ટ્વીટને ડિલીટ કરીને માફી માગી છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

શું કહ્યું વિવેક ઓબેરોયે?

રિપોર્ટ્સ અનુસાર નેશનલ કમીશન ફોર વૂમને પણ આ ટ્વીટને ધ્યાનમાં લીધું હતું અને વિવેક ઓબેરોયે આ મામલે સ્પષ્ટતા આપવાની નોટિસ પણ જાહેર કરી હતી. વિવેકે માફી માગતા કહ્યું હતું કે તેનો ઈરાદો કોઈપણ મહિલાને ઠેસ પહોંચે તેવો નહોતો.

શું હતું આ મીમમાં?

આ મીમમાં ઐશ્વર્યા ઉપરાંત સલમાન અને વિવેક ઓબેરોય પણ જોવા મળ્યા હતાં. વર્ષ 2003માં ઐશ્વર્યા રાયના કારણે જ આ બન્ને એક્ટર્સ હેડલાઈનમાં રહ્યાં હતાં. ત્યારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને વિવેક ઓબેરોયે સલમાન ખાન ઉપર અનેક આરોપ લગાવ્યા હતાં.

આવો હતો સલમાનનો પ્રતિભાવ

જ્યારે તાજેતરના વિવાદ વિશે સલમાન ખાનને પૂછવામાં આવ્યું ત્યારે તેણે પણ અન્ય સેલિબ્રિટીઝની જેમ જ આ મામલે નિરાશા વ્યક્ત કરી હતી. હાલ પોતાની ફિલ્મ ‘ભારત’ના પ્રમોશનમાં વ્યસ્ત સલમાને કહ્યું કે હવે તે પહેલાની જેમ ટ્વિટર પર એક્ટિવ નથી. તેણે કહ્યું કે તેની પાસે એટલો ટાઈમ નથી કે તે ટ્વીટ કરે અથવા અન્યના ટ્વીટ્સ જુએ. સલમાને કહ્યું કે તે લોકોના ટ્વીટ્સ ઉપર એટલું ધ્યાન નથી આપતો.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2LXmH99

No comments:

Post a Comment

Pages