Thursday, July 16, 2020

આજે ગુરુવાર, કર્ક સંક્રાંતિ અને કામિકા એકાદશીનો યોગ, પાપમાંથી મુક્તિ માટે કરો વિષ્ણુ અને સૂર્યનું પૂજન

આજે અદભૂત સંયોગ

આજે ગુરુવાર 16 જુલાઈ એટલે અષાઢ મહિનાના વદ પક્ષની કામિકા એકાદશી છે. આ દિવસે ગ્રહોના રાજા સૂર્ય મિથુનથી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આ શુભયોગમાં ભગાવન વિષ્ણુ અને સૂર્ય-ગુરુની વિશેષ પૂજા કરવી જોઇએ. એકાદશી ભગવાન વિષ્ણુની પ્રિય તિથિ છે. સ્કંદ પુરાણ પ્રમાણે આ દિવસે વ્રત, પૂજા અને દાનના શુભ પ્રભાવથી મનુષ્યના બધા જ પાપ નષ્ટ થઇ જાય છે. કામિકા એકાદશી અષાઢ મહિનાના વદ પક્ષમાં આવે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

કામિકા એકાદશીનું મહત્વ

સ્કંદ પુરાણ મુજબ કામિકા એકાદશી વ્રતની કથા સાંભળવી યજ્ઞ કરવા સમાન છે. આ વ્રત વિશે બ્રહ્માજીએ દેવર્ષી નારદને જણાવ્યું કે, પાપથી ભયભીત મનુષ્યોએ કામિકા એકાદશીનું વ્રત કરવું જોઇએ. પાપનો નાશ કરવા માટે એકાદશી વ્રત સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. સ્વયં પ્રભુએ કહ્યું છે કે, કામિકા વ્રતથી કોઇપણ જીવ કુયોનિમાં જન્મ લેતો નથી. જે વ્યક્તિ આ એકાદશીએ શ્રદ્ધા-ભક્તિ દ્વારા ભગવાન વિષ્ણુને તુલસી પાન અર્પણ કરે છે, તેઓ આ બધા જ પાપથી દૂર રહે છે.

આ પ્રમાણે કરો પૂજન

કામિકા એકાદશીએ સવારે જલ્દી જાગવું જોઇએ. સ્નાન બાદ સૂર્યને જળ અર્પણ કરો. ત્યાર બાદ ઘરના મંદિરમાં ગણેશ પૂજા કરો. ત્યાર બાદ ભગવાન વિષ્ણુની મૂર્તિને ગંગાજળથી અને પછી પંચામૃતથી સ્નાન કરાવો. પંચામૃતમાં દૂધ, દહી, ઘી, મધ અને મિશ્રી મિક્સ કરીને બનાવવુ જોઇએ. પંચામૃત સ્નાન બાદ એકવાર ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવો. વિષ્ણુજી સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરો. લક્ષ્મી-વિષ્ણુનો દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરવો જોઇએ.



from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/3eCt3nA

No comments:

Post a Comment

Pages