અમદાવાદઃ સરખેજમાં પ્લાયવુડ અને ફર્નિચરના અન્ય મટીરિયલના ધંધા સાથે સંકળાયેલા એક વેપારીએ મંગળવારે રાત્રે પ્રહલાદનગર સ્થિત પોતાના એપાર્ટમેન્ટના 12મા માળેથી કૂદકો મારીને આપઘાત કરી લીધો હતો.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
પોલીસે કહ્યું કે, લોકડાઉન થયું ત્યારથી ધંધાને જબરદસ્ત નુકસાન થઈ રહ્યું હોવાથી 62 વર્ષના સુશીલ ટીબરેવાલે કંટાળીને આ પગલું ભર્યું હતું. ઓમપ્રકાશ પંજાબી નામનો વ્યાજખોર તેમને પરેશાન કરી રહ્યો હોવાનો ઉલ્લેખ પણ તેમની સ્યૂસાઈડ નોટમાં કરવામાં આવ્યો છે.
આનંદનગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એસ.જે. બલોચે કહ્યું કે, ટીબરેવાલ પ્રહલાદનગરના કોર્પોરેટ રોડ પર આવેલા સફલ પરિવેશના રહેવાસી હતા. ‘તેઓ મંગળવારે મોડી રાત્રે 12 માળની બિલ્ડિંગના ધાબા પર ગયા હતા અને ત્યાંથી કૂદકો માર્યો હતો’, તેમ બલોચે જણાવ્યું.
કેટલાક રહેવાસીઓએ અને તેમના પરિવારના સભ્યો અવાજ સાંભળતા બહાર દોડી આવ્યા હતા અને બાદમાં પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. આનંદનગર પોલીસની ટીમના ત્યાં પહોંચી ગઈ હતી અને તપાસ શરુ કરવામાં આવી હતી.
‘તેમના 38 વર્ષીય દીકરા સાકેતના જણાવ્યા પ્રમાણે, લોકડાઉનમાં લાગુ કરવામાં આવ્યું ત્યારથી તેના પિતા આર્થિક મુશ્કેલીમાં હતા અને આના કારણે તેઓ માનસિક રીતે પણ દબાણમાં હતા અને આ જ આત્મહત્યાનું મુખ્ય કારણ હોઈ શકે છે’, તેમ અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું.
લેણદારો દ્વારા થતાં પજવણી અંગે બલોચે કહ્યું કે, ‘અમને સ્યૂસાઈડ નોટ પરથી જાણવા મળ્યું છે કે, સુશીલે ભારે વ્યાજદર સાથે ઉછીના પૈસા લીધા હતા અને વ્યાજખોરો તેમની સતામણી કરી રહ્યા હોવાથી તેમણે જીવનનો અંત આણી દીધો હતો’.
‘ફોરેન્સિક એક્સપર્ટ સ્યૂસાઈડ નોટની તપાસ કરશે અને તે ટીબરેવાલે જ લખી છે કે કેમ તેની ખાતરી કરશે. FSL રિપોર્ટ આવ્યા બાદ જ અમે આ કેસમાં વધુ કંઈ કહી શકીશું’, તેમ બલોચે કહ્યું.
‘મૃતકની અંતમવિધિમાં તેનો પરિવાર વ્યસ્ત હોવાથી અમે કોઈ પણ સભ્યનું નિવેદન નોંધ્યું નથી. અમે આગામી એક-બે દિવસમાં તપાસ શરુ કરીશું’, તેમ તેમણે કહ્યું.
કાયદાકીય કાર્યવાહીના ભાગરુપે FSLની ટીમને બોલાવવામાં આવી હતી અને પોસ્ટમોર્ટમ કરાયું હતું. આનંદનગર પોલીસે આ મામલે આકસ્મિક મોતનો ગુનો દાખલ કર્યો છે.
પોલીસને ટીબરેવાલ પાસેથી જે સ્યૂસાઈડ નોટ મળી છે તેમાં લખ્યું છે કે, ‘ઓમપ્રકાશ પંજાબી મારા આપઘાત માટે જવાબદાર છે. મેં તેની પાસેથી પાંચ મહિના માટે ઉધાર પૈસા લીધા હતા. જે મેં તેમને મૂળ રકમ અને વ્યાજ સાથે પરત આપી દીધા હતા. તેમ છતાં તેણે મને જે 20 લાખ રૂપિયા આપ્યા હતા તેના બદલે 1 કરોડ આપવાની માગણી કરી રહ્યો હતો’. આ સિવાય નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ઓમપ્રકાશે ધમકી આપી હતી કે જો તે એક કરોડ નહીં આપે તો તે તેને જીવતો સળગાવી દેશે. ટીબરેવાલે અંતમાં લખ્યું છે કે, ‘મારા પરિવારે મને ઘણો ટેકો આપ્યો. હું તેમનો આભારી રહીશ’.
‘ચાલ જીવી લઈએ’ની એક્ટ્રેસ આરોહીએ જણાવ્યો અનુભવ, કહ્યું-સંઘર્ષ કરવો પડે છે
from Page Array – I Am Gujarat https://ift.tt/32MNQCv
No comments:
Post a Comment