Sunday, July 19, 2020

આવતીકાલથી ડાકોર મંદિર દર્શનાર્થીઓ માટે બંધ, કોરોનાને પગલે લેવાયો નિર્ણય

અમદાવાદ: અમદાવાદ બાદ સુરત સહિત અન્ય જિલ્લાઓમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ખેડા જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેથી અગમચેતીના ભાગરૂપે અને દર્શનાર્થીઓની સલામતી જળવાય તે માટે 20મી જુલાઈ એટકે કે આવતીકાલથી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ યાત્રાળુઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ડાકોર ટ્રસ્ટ મંડળ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે સાથે આગામી બીજી કોઈ તારીખ જાહેર ન કરવામાં આવે ત્યાં સુધી ડાકોર મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે તેવી પણ મંદિર ટ્રસ્ટી મંડળ તરફથી સૂચના જાહેર કરાઈ છે.

ડાકોર મંદિરના કમિટીના મેનેજરના જણાવ્યાનુસાર કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યાં છે. ત્યારે આવા સંજોગોમાં ડાકોરમાં આવતા યાત્રાળુઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મંદિરને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાની શરૂઆત થતા લોકડાઉન દરમિયાન ડાકોર મંદિરને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, સરકાર દ્વારા અનલોક જાહેર કરાતા 18મી જૂનથી ફરીથી ડાકોર મંદિરના દ્વારા ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ મુજબ 25 જૂનથી 5 જુલાઈ સુધી ખેડા જિલ્લાના દર્શનાર્થીઓ દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે 6 જુલાઈથી નિયમોમાં વધુ છૂટછાટ આપીને ગુજરાતના દર્શનાર્થીઓ પણ દર્શન કરી શકશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે હવે ખેડામાં કોરોનાની રફ્તાર વધી છે. ખેડામાં સરેરાશ રોજના 15-20 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. શનિવાર સાંજ સુધી છેલ્લા 24 કલાકમાં ખેડા જિલ્લામાં કોરોનાના નવા 15 કેસ સામે આવ્યા છે. એટલું જ નહી, ડાકોર મંદિર પાસેના વિસ્તારોમાં પણ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.ek



from Page Array – I Am Gujarat https://ift.tt/398Lqj3

No comments:

Post a Comment

Pages