Sunday, July 19, 2020

ગાંધીનગરઃ સસ્પેન્ડેડ અધિકારીએ રાજ્ય સરકારને કરી અપીલ, હું નિર્દોષ છું મારું સસ્પેન્શન હટાવો

અમદાવાદઃ સસ્પેન્ડ કરવામાં આવેલ IAS અધિકારીએ ગૌરવ દહિયાએ રાજ્ય સરકારને અપીલ કરી છે કે તેમનું સસ્પેન્શન રોકવામાં આવે. આ સાથે તેમણે દિલ્હી પોલીસ દ્વારા તેમની વિરુદ્ધ લીનુ સિંહ દ્વારા કરવામાં આવેલ તમામ આરોપની તપાસમાં પોતે નિર્દેષ હોવાનું બહાર આવ્યા અને કોર્ટ દ્વારા પણ પોતે નિર્દોષ હોવાનું સ્વીકારવામાં આવ્યું હોવાનો દાવો કર્યો છે. આ સાથે દહિયાના વકીલ હિતેશ ગુપ્તાએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને એક સણસણતો દાવો ક્રયો છે કે દહિયાને પરેશાન કરવા માટે સચિવાલયમાં જ ફરજ બજાવતાં કેટલાંક ઉચ્ચ અધિકારીઓએ કાવત્રુ ઘડ્યું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

ગુપ્તાએ આ મામલે જણાવ્યું કે જ્યારે દહિયાની પૂર્વ સ્ત્રી મિત્ર લીનુ સિંઘ વિરુદ્ધની તપાસમાં દિલ્હી પોલિસે ત્યાં કેટલીક બાબતો અંગે ખરાઇ કરવા બોલાવ્યા ત્યારે તેની કોલ ડિટેઇલ્સ અમને બતાવી હતી. તેમાં કેટલાંક ગાંધીનગરના સચિવાલયમાં બેસતાં આરોગ્ય અને સામાન્ય વહીવટ વિભાગના અધિકારીઓના ફોન હતા. તેઓ કેમ આ મહિલાને દહિયા વિરુદ્ધ આક્ષેપો કરવા ઉશ્કેરતા હતા તેની અમને ખાતરી નથી.

ગુપ્તાએ કહ્યું કે આ અધિકારીએ જ લીનુ સિંઘને દિલ્હીથી અમદાવાદ આવવા-જવાની ફ્લાઇટની ટિકીટ, શહેરની પ્રતિષ્ઠિત ક્લબમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. હવે પોલિસ તપાસમાં આ મામલો ખુલશે અને શક્યતઃ આ અધિકારીઓની દહિયાને પરેશાન કરવાનવું કાવતરું ઘડવાના કેસમાં ધરપકડ પણ થઇ શકે.

સોશિયલ મીડિયામાં લીનુ સિંઘ અને તેનો પતિ ડો. કુલદીપ દિનકરે ફેક એકાઉન્ટ બનાવ્યા હતા. ગાજીયાબાદમાં પોલીસ તપાસમાં લીનુ સિંઘના મેરેજ ડોક્યુમેન્ટ પણ મળ્યા છે. જુલાઈ 2019 એ ખોટી ફરિયાદ કરી હતી. લગ્ન જીવનથી જે બાળકીને જન્મ થયો હોવાના તમામ આક્ષેપો ખોટા હતા. લીનુ સિંઘે પૈસા પડાવવા માટે ષડયંત્ર કર્યું હતું. દિલ્હીમાં એક મકાન ખરીદવાની ડિમાન્ડ પુરી ન કરતા આખું ષડ્યંત્ર રચ્યું હતું .

છેલ્લા 15 દિવસથી ઘણી બાબતો બહાર આવી છે. જેમાં લીનુ સિંઘે જે આક્ષેપો કર્યા છે તે તમામ આક્ષેપો ખોટા પુરવાર થયા છે. આવા આક્ષેપોને લઈને ગૌરવ દહીયા દબાણમાં હતા. પોલીસે તપાસ પણ કરી હતી. જેમાં ખુલાસો થયો હતો કે, વર્ષ 2015માં લીનુ સિંઘના લગ્ન થઇ ચુક્યા હતા અને બંને દંપતીએ ભેગા મળીને આ ષડ્યંત્ર રચ્યું હતું.

લીનુ સિંઘને અમદાવાદમાં વૈભવી સુવિધાઓ મળી છે. લીનુ સિંઘને ગાંધીનગરના અધિકારીઓ મદદ કરી રહ્યા છે. ગાંધીનગરના અધિકારીઓ કયા છે . જેને લીનુ સિંઘને મદદ કરી છે જે મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. ગૌરવ દહીયાએ દિલ્હી હાઇકોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો છે. લીનુ સિંઘના ફેક એકાઉન્ટ પણ હાઇકોર્ટે ધ્યાને લીધું છે. લીનુ સિંઘ અમદાવા માં વૈભવી સુવિધા સાથે રહી હતી કોના સાથથી કોર્ટ સુધી અરજી કરી જેની પોલીસ તપાસ કરી રહી છે. લીનુ સિંઘ ક્રિમિનલ માઈન્ડની સાબિત થઇ છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2CSEYQT

No comments:

Post a Comment

Pages